________________
૫૪
ગીતા અને કુરાન બરાબર આ જ વાત યોગીરાજ યાજ્ઞવયે બૃહદારણ્યક ઉપનિષદમાં કહી છે. હજરત અલીએ કહ્યું છેઃ
હે માનવ ! તારી દવા તારામાં જ છે, તેની તને ખબર નથી અને તારે રોગ પણ તારામાં જ ભરાયો છે તેને તું દેખાતું નથી.” ગીતા કહે છેઃ
“મનુષ્યને જીવાત્મા જ તેને મિત્ર તથા શત્રુ છે. તે માણસને જ આત્મા તેને મિત્ર થઈ શકે છે જેણે આત્માને જીતી લીધું છે. અને જેણે પિતાના આત્માને નથી જ તેને આત્મા તેનો દુશ્મન થઈ બેસે છે” (૬,પ૬). કુરાનમાં કહેવાયું છેઃ
તે જ માણસ પિતાનું શ્રેય સાધી શકે છે જેણે પિતાના આત્માને પવિત્ર બનાવ્યું હોય અને તે આદમી પિતાનું ભલું નથી કરી શકતે જેણે પિતાના આત્માની
અધોગતિ કરી હોય એટલે કે પિતાને અપવિત્ર બનાવ્યા હોય” (શમ્સ-૯,૧૦).
મહંમદ પયગંબર સાહેબની એક પ્રખ્યાત પ્રચલિત ઉપદેશકથા છેઃ
“તમારે મોટામાં મોટો શત્રુ તમારે આત્મા છે.”
જુનૂન ઈજિપતના એક મોટા સૂફી થઈ ગયા છે. એમણે એક સૂફી બાઈ માટે સાંભળ્યું કે તે પ્રભુની પરમ ભક્ત છે. જુનૂને તેની પાસે જઈ ઉપદેશ માગે. ઉત્તર મળે ?