________________
ગીતા અને કુરાન દુનિયાની એટલે કે અન્યની સેવા કરવા સિવાયને બીજે માર્ગ પ્રભુ પામવાને નથી. માળા ફેરવીને “ અલ્લાહ અલ્લાહ” કરવાથી, ચટાઈ બિછાવી નિમાજ પઢવાથી કે ગોદડી ઓઢી લેવાથી ઈશ્વર મળતું નથી.” શેખ સાદીએ ગાયું છેઃ
" चूं अज दर्द आजाद करदी कसे
बेह अज़ अल्फ़ रकअत ब हर मंज़िले"
જે તું કોઈ એક પણ માણસનું દર્દ દૂર કરી દે તે તે મક્કાની હજ કરવા જાય ત્યારે હર મુકામે હજાર હજાર નિમાજ ભણવા કરતાં વધારે સારું કામ છે.” વળી એક સૂફીનું વચન છે:
"दिल बदस्त आवर की हज्जे अकबरस्त अज़ हजारां कावा यक दिल बेहतरस्त."
કોઈના હૃદયને તેની સેવા કરી જીતી લે. આ જ હજ છે, હજાર કાબા કરતાં એક દિલ ચડિયાતું છે.”
આ રીતનાં અનેક દષ્ટાંતે દરેક દેશના તથા ધર્મના સંતમહંતના ઉપદેશમાંથી ઉતારી શકાય એમ છે.
હવે સવાલ એટલે જ છે કે આ પરમ ધર્મનું પાલન કેવી રીતે થઈ શકે તથા તેને સહાયક કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ.
ગીતા અને કુરાન બન્નેમાં કહેવાયું છે કે દરેક કર્મ ઈશ્વરને નામે તથા તેને સમપીને કરવું જોઈએ.
ગીતામાં ઠેર ઠેર સર્વ કમે “ઈશ્વરપણ” (ઈશ્વરને માટે) કરવાનું કહ્યું છે (૩-૩૦; પ-૧૦; ૯-૨૭).