________________
ગીતા અને કુરાન પિતાને મક્કા છોડી મદીના ચાલ્યા જવું પડ્યું હતું. જે મુસલમાનો પહેલેથી મક્કા છોડી ગયા હતા તેઓ મદીનામાં પહોંચી ગયા. મદીનાના ઘણા લોકોએ ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતે. મક્કાના કુરેશોએ અહીં પણ તેમને પીછે પકડ્યો. એક તરફથી મક્કામાં બાકી રહેલા મહંમદ સાહેબના અનુયાયીઓને તથા ભાવિકોને સતાવવામાં આવતા હતા અને બીજી તરફથી એક મોટું લશ્કર લઈને મહંમદ સાહેબને તથા તેમના મળતિયાઓને માત કરવા મદીના ઉપર ચડાઈ કરી હતી. તે કાળ સુધી ઈસ્લામમાં દુશ્મને વિરુદ્ધ પણ હથિયાર ઉગામવાની પરવાનગી ન હતી. એ તેર વર્ષોમાં કુરાનમાં જે વચન એ વિષયનાં છે તે સર્વમાં “બીજાના જુલમને ધીરજથી શાંતિથી સહન કરી લેવા ” તથા “બૂરાઈને બદલે ભલાઈથી આપ” એ જ ઉપદેશાયું છે. (હામીમ, ૩૪, ૩૬; અલમોમેનુન, ૬ વગેરે). જ્યારે કુરેશીએ પહેલી વાર મદીના ઉપર ચડાઈ કરી ત્યારે પહેલી વાર કુરાનમાં નીચેના શબ્દમાં તલવાર હાથ ધરવાનું કહેવામાં આવ્યું?
લડાઈ કાજે જેના ઉપર ચડાઈ કરવામાં આવે છે તેમને લડાઈની પરવાનગી આપવામાં આવે છે, કારણ કે તેમના ઉપર આ જુલમ છે, અને આ નિઃસંદેહ છે કે અલ્લાહ તેમની મદદ માટે પૂરતો છે. આ રજા તેમને આપવામાં આવે છે કે જેમને અન્યાયી રીતે ઘરબહાર કાઢવામાં આવ્યા છે કારણ કે તેઓ માને છે કે એક અલ્લાહ જ અમારો પાલક છે. ” ( હજજ, ૩૦, ૪૦ )