________________
દુનિયાના સર્વ ધર્મો એક છે
૧૭ પણ ઐતિહાસિક મળતાપણું છે. કરુશ અને કુરુ એ બને નામે ઈરાનના ગ્રંમાં મળી આવે છે. ઈરાનના એક મોટા બાદશાહનું નામ કૌરુશ હતું જેનું અંગ્રેજી વિકૃત રૂપ, સાઈરસ થયું. ઈરાનીએ પિતાનાં પુસ્તકમાં તેને “કૌરુશ” તથા
કુરુ” બન્ને રીતે લખે છે. કૌરના અને પાંડેના એક અગ્રજનું નામ “કુરુ” હતું. કૌરવ શબ્દ કુરુ ઉપરથી થયે છે. મહાભારતના કુરુ અને કૌરવ, ઈરાનના કૌરુશ અથવા કુરુ અને અરબસ્તાનના કુરેશ એ ત્રણે નામોનું મૂળ એક જ છે. ઈતિહાસની એ એક સત્ય ઘટના છે.
જે રીતે કૌરવોએ પાંડ ઉપર જુદી જુદી જાતને કેર વર્તાવ્ય તથા એમને દુઃખ દીધાં, એમની મિલકત પડાવી લીધી, એમને ઘરથી તથા વતનથી બહાર કાઢી મૂક્યા, એમનાં ઘરોને આગ લગાડી તથા એમને ઝેર પાવાની પણ કોશિશ કરી તે જ પ્રમાણે મક્કાના કુરેશે એ મહંમદ સાહેબને તથા તેમના સર્વ સગાંસંબંધીઓ કે જેમણે મહંમદ સાહેબના ઉપદેશને કારણે જૂના ધર્મને છેડીને ઈસ્લામને સ્વીકાર કર્યો હતો એટલે કે એક અલ્લાહ સિવાયનાં બીજાં દેવદેવીઓની અથવા કાબાની જૂની મૂર્તિઓની પૂજા બંધ કરી હતી, તે સર્વને લગભગ તેવી સર્વ યાતનાઓ આપી હતી. મકકામાં કાબા એ હજારો વરસો પહેલાંનું એક પુરાણું મંદિર હતું. કુરેશ એના પૂજારી–પંડા હતા. તેર વર્ષ સુધી કુરેશએ મહંમદ સાહેબ તથા તેમનાં સાથીસંબંધીઓ ઉપર એટલા બધા જુલમ વરસાવ્યા કે તેમનું મકામાં રહેવું અશક્ય થઈ ગયું હતું. છેવટે મહંમદ સાહેબને ગી-૨