________________
૧૫૮
ગીતા અને કુરાન જેથી એક જ આવૃત્તિ સાચી લેખાય, તથા તેમાં હેરફેરને અવકાશ ન રહે. કુરાનની તે જ સંકલન આજે પ્રચલિત છે.
આટલું કરવા છતાયે આજે સાડાતેરસે વરસ પછી સાત જાતનાં કુરાન ઉપલબ્ધ છે. આ બધામાં ફરક એ છે કે કેઈકમાં એક આયતની બે આયત કરવામાં આવી છે, આયતની કુલ સંખ્યામાં તફાવત છે. એક કુરાનમાં ૬૦૦૦, બેમાં ૬ર૧૪, એકમાં ૬૨૧૯ એકમાં ૬ર૩૬, એકમાં ૬૨૨૬ તથા એકમાં ૬રર૫ આયતે છે. પરંતુ લખાણ સૌનું એક જ છે તથા શબ્દોની સંખ્યા પણ તેટલી જ છે.
આ બધું હોવા છતાંયે એક અડચણ એ આવે છે કે જે કમમા કુરાનના ભાગે મહંમદ સાહેબ મારફત મળતા રહ્યા તે કમ જળવા નથી સૂરાઓ તેમ જ આયતે આઘાપાછાં થઈ ગયાં છે. કઈ આયત ક્યા સંજોગોમાં ક્યારે મળી તે જાણવું મુશ્કેલ થઈ પડે છે. મોટા ભાગની આયતોના સમય સંજોગ સાંધી શકાય છે પણ ઘણું આયતે અંગે વિદ્વાનોમાં મતભેદ છે. તેથી આજના ક્રમમાં કુરાન વાંચવામાં સામાન્ય પાઠકને અગવડ નડે છે. જેઓ અરબી ભાષા જાણે છે તથા તેનું આસ્વાદન કરી શકે છે અથવા તે જેઓ શ્રદ્ધાપૂર્વક વગર સમજે વિચાર્યું વાંચી જાય છે. તેમની વાત જુદી છે. પણ બીજાઓ કે જેઓ કુરાનને ગ્રહણ કરવા ચાહે છે તેમને માટે અસલ કુરાનથી કે તેના ક્રમબદ્ધ તરજુમાથી વિશેષ લાભ થતો નથી. જુદા જુદા વિષયે ઉપરની જુદી જુદી આયતોની પસંદગી તેમને કુરાનના અભ્યાસમાં વધારે સહાયક બની શકે છે.