________________
ગીતાધર્મ મૂળ છે. તે દેહધારીને કર્મપાશમાં બાંધે છે. તમોગુણ અજ્ઞાનમૂલક છે; તે દેહધારીમાત્રને મેહમાં નાખે છે અને તે અસાવધાની, આળસ અને નિદ્રાના પાશમાં દેહીને બાંધે છે. આ ત્રણે ગુણેમાં સદાય સંઘર્ષ ચાલ્યા કરે છે. મરતી વેળા જે ગુણનું જોર માણસમાં હોય છે તેવાં જ ફળને તે ભવિષ્યમાં પામે છે. આત્મા કે પરમાત્મા આ ત્રણે ગુણેથી પર છે. તેથી જે માણસ ત્રણે ગુણેના પ્રભાવથી મુક્ત થાય છે તે ગુણાતીત” થઈ જાય છે અને તે જ આ દુનિયામાંથી છુટકારો પામે છે”(૧૪–૫થી ૨૦).
પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ પ્રાપ્ત થતાં જે દુઃખ નથી માનતો ને તેને પ્રાપ્ત થવાથી તેની ઈચ્છા નથી કરતે, ઉદાસીનની જેમ જે સ્થિર છે, જેને ગુણે હલાવતા નથી, ગુણે જ પિતાને ભાગ ભજવે છે એમ માની જે સ્થિર રહે છે અને હાલતે નથી, જે સુખદુઃખમાં સમતાવાન રહે છે, સ્વસ્થ રહે છે, માટીનું ઢેફુ, પથ્થર ને સોનું સરખાં ગણે છે, પ્રિય અથવા અપ્રિય વસ્તુ પ્રાપ્ત થતાં એકસરખો રહે છે, પિતાની નિંદા કે સ્તુતિ જેને સરખાં છે એવો બુદ્ધિમાન, જેને ભાન ને અપમાન સરખાં છે, અને જેણે સર્વે આરંભનો ત્યાગ કર્યો છે તે ગુણતીત કહેવાય છે. જેને ઈશ્વરની સાચી લગન લાગી હોય તે ત્રણે ગુણોથી ઉપર જઈને ઈશ્વરમાં લીન થઈ જાય છે કારણ કે ઈશ્વર જ આત્માના અમૃત તથા અખંડ સુખને ભંડાર છે (૧૪–૨,૨૨ થી ૨૭).
પંદરમે અધ્યાય આ અધ્યાયમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે આ સંસાર અશ્વત્થવૃક્ષ જે છે એ અશ્વત્થવૃક્ષ વિષે કહેવાયું છેઃ
જેનું મૂળ ઊંચે છે, જેની શાખા નીચે છે, અને વેદ જેનાં પાંદડાં છે એવા અવિનાશી અશ્વત્થ વૃક્ષને ડાહ્યા