________________
૧૨
ગીતા અને કુરાન “જે હું યુદ્ધ કરું તો કુળને નાશ થાય છે, કુલના નાશથી સનાતન કુલધર્મોને નાશ થાય છે, અને ધર્મને નાશ થાય તે અધર્મ આખા કુલને ડુબાડી દે (૧-૪૦). અધર્મની વૃદ્ધિ થવાથી કુલસ્ત્રીઓ દૂષિત થાય અને તેમના દૂષિત થવાથી વર્ણને સંકર થાય (૧-૪૧). આવા સંકરથી કુલધાતકને અને તેના આખાયે કુલનો નરકમાં વાસ થાય છે; અને પિડદકની ક્રિયાથી વંચિત રહેવાથી તેના પિતૃઓની અવગતિ થાય છે (૧-૪૨ ). કુલઘાતક લોકોના આ વર્ણસંકરને ઉત્પન્ન કરનાર દોષોથી સનાતન જાતિધર્મો અને કુલધર્મોને નાશ થાય છે (૧-૪૩). જેમના કુલને નાશ થયે હેય એવા મનુષ્યનો અવશ્ય નરકમાં વાસ થાય છે એવું આપણે સાંભળતા આવ્યા છીએ (૧-૪૪). અરે, કેવી દુઃખની વાત છે કે અમે મહાપાપ કરવાને તૈયાર થયા છીએ; એટલે કે રાજયસુખને લેભે સ્વજનને હણવા તત્પર થયા છીએ (૧-૪૫).”
અને આ પહેલા અધ્યાયના ૩૬, ૩૯ તથા કપમાં લેકમાં “પાપ” શબ્દ વાપર્યો છે. જે પાપની વાત અર્જુન કરે છે તે સાધારણ હિંસા એટલે કે મનુષ્યને મારી નાંખવાની વાત નથી પરંતુ પોતાના કુલને નાશ કરવાના પાપ અંગેની છે (૧-૩૮, ૩૯). આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ગીતામાં “જાતિ' (૧-૪૩)નો અર્થ વર્ણ એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ર નથી. વર્ણને ભેદ અને જાતિને ભેદ એ બેઉ જુદી વસ્તુઓ હતી. બંને જન્મથી અલગ ગણાયા અને બંનેનાં ‘કુલ” જુદાં હતાં. મહાભારત કાળમાં જુદી જુદી જાતિઓ અથવા જ્ઞાતિઓ” માં અને જુદા જુદા વણીમાં લગ્નો કરવાને