________________
૧૦૧
ગીતા રીતરિવાજો, વહેમ, દર્શનશાસ્ત્ર વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. તેની સત્યાસત્યતાની, તેમના પરસ્પર વિરોધની ચર્ચા કરવામાં આવી છે. જુદી જુદી માન્યતાઓ અને એક જ ઈશ્વરની પૂજાના નિરનિરાળા પ્રકારોમાં મૂળભૂત સમાનતા બતાવીને સમન્વય સાધવાને પ્રયત્ન ગીતાએ કર્યો છે. આત્મસંયમ તથા સદાચારને સર્વ ધર્મોનું મૂળ તથા આ ન્નતિનું પ્રથમ પગથિયું દાખવવામાં આવ્યું છે. પિતા પારકાના ભેદ પડદાને ચીરીને પોતાની પિરે સૌને”, “પતામાં સૌને” અને “સર્વમાં સ્વને જોવાની દષ્ટિ મેક્ષ માટે આવશ્યક છે, એમ કહેવામાં આવ્યું છે. જડ, ચેતનમય સકળ સૃષ્ટિમાં તથા સર્વ પ્રાણીઓમાં એક જ ઈશ્વર છે તેને ઉપદેશ અપાવે છે. છેવટે આ સર્વ માર્ગો પાર કરીને પિતાના આત્માને સંપૂર્ણપણે શુદ્ધ કર્યા પછીનો તથા તેના ઉપર કાબૂ મેળવ્યા પછી આમેન્નતિને કેમ, પ્રકાર છે છે તેનો સંકેત કર્યો છે. આ છે શ્રીમદ્ભગવત્ગીતાનું રહસ્ય.
હવે આપણે એ જોવું રહ્યું કે ઉપર દર્શાવેલ દરેક વિષય અંગે ગીતામાંથી શું મળે છે અને શે ઉપદેશ લાધે છે.
પ્રથમ તો આપણે તે સમયનાં અવસ્થા, વિચારે તથા રીતરિવાજે કે જેની માહિતી ગીતામાંથી મળે છે તે સમજી લઈએ.
ગીતાના આરંભમાં અર્જુને પિતાની પહેલી મિટી મુશ્કેલી શ્રીકૃષ્ણ સામે રજૂ કરી તે આ છે :