________________
૪૫
સેનાની મરઘી સાથે ઘર જેવો સંબંધ છે, સંભળ્યું હશે કે હું જવાને છું એટલે છોકરાં માટે પોલીસ સાથે હલ મેક હશે. મારે તે જાણે જ છે કે ૨૪ કલાકને દિવસ ને ૪૮ કલાકનું કામ. મળવું હોય તે. બિચારા જજ સાહેબ પણ સામે પગલે ઘેર આવે.”
કદર કારભારીને આ જવાબથી સતેષ ન થયો, પણ એણે ચર્ચામાં પડવાનું મુનાસીબ ન ધાયું ! આ આખા વરઘેડાને એની. રીતે આગળ વધવા દઈ પિતે ચાલતી પકડી.
[૬] ભેગી શેઠ અને શણગાર શેઠાણની પહેલી મુલાકાત ભારે ઊર્મિભરી હતી. આખી રાત શેઠાણીની વાત ચાલી. એમણે કેમ મુસાફરી બેડી, કેમ ગામમાં સ્વાગત થયું, કઈ કઈ કન્યાઓ જોઈ એમાં ક્યા ઘર પર મન ઠર્યું, અને ચા-પાણીમાં કાળાંબજારની કેટલી ખાંડ ખપી ગઈ વગેરે વાત કરી; ને છેવટે પોતે આ ગામથી કેવાં કંટાળ્યાં છે, ને કાલે બધું પતાવી મુંબઈ ચાલ્યા જવું છે, વગેરે પણ સાથે સાથે કહ્યું.
ભેગી શેઠ અત્યાર સુધી લગભગ ચૂપ હતા. હવે તેમણે મુંબઈની ફેશન પ્રમાણે શેઠાણીને નામથી બેલાવતાં કહ્યું :
“શણગાર, હવે તે મુંબઈને છેલ્લા રામરામ!'
શા માટે?” શણગારને માથે જાણે વજ પડ્યું, “શું ઝરમ-- રિયે આવી પહોંચ્યું ?'
એમ જ સમજે !” શેઠે ટૂંકામાં પતાવ્યું.
પણ મુંબઈથી તે હાલમાં કેઈ આવતું નથી, ઊલટાં આવેલાં પાછાં મુંબઈ જાય છે!'
એ બધાં મૂરખાં છે. વારુ શણગાર! પેલે ડબરે તે સાચવીને રાખે છે ને ?”