________________
ત્યક્તા
૨૫૧ બે દિવસ અમે રહ્યાં. મારે તો જે કે “અનસિવિલાઈઝડ વચ્ચે રહેવાનું હતું. ગુડમેનિંગ,' “ગુડબાય'ને બદલે જયરામ, “રામરામ કે જયગોપાળ' સાંભળવાનું હતું. મહેમાનગતિમાં ચા અને બિસ્કીટને સ્થાને દૂધ સાથે ઘીથી લચપચતા બાજરાને રોટલો મળતો. કાગળની કોથળી જેવા મારા પેટને પચવામાં એ ભારે પડતો, છતાં મહેમાન છું, તેમ સમજી ચલાવી લેત.
પણ શરીર આ ન ચલાવી શકયું. નીકળવાની રાતે જ મને તાવ ચડ્યો. માથામાં સખ્ત દર્દ થવા માંડયું. હું પથારીવશ બને. આ વખતે ગામડાગામની ભક્તિ ઊછળતી દીઠી. ભાણાભાઈ બીમાર પડ્યા એ સમાચાર ગામમાં પ્રસરતાં ઘણું લેકે મને જોવા આવવા લાગ્યા. શહેરમાં તો માંદગી એ સારવારનો વિષય નથી, કંટાળાનો વિષય છે, અગવડની બાબત છે, ને દવાખાનામાં દરદીને મૂકી આવી નિશ્ચિત થવાની સગવડ છે. શહેરમાં માદો પતે ત્યારે ઘરનાં બધાં ધમકાવ્યા કરતાં કે બહુ હોટલ-રેસ્ટોરાંમાં જવા શીખે છે, માટે માંદો પડે છે. કોઈ આશ્વાસન ન આપતું, ફક્ત મારો મિત્ર કનુ સાયકલ પર આવી “ગુડ હેલ્થ” પૂછી જ એ સિવાય મને જેવા પણ કોઈ ન આવતું.
ને અહીં તે ભારે ભીડ ! અરે. બીજા તો ઠીક પણ ગામનો કાળીઓ ભંગિ પણ ભાણાભાઈ કહી તબિયત પૂછી “જલદી સારું થઈ જશે એવા આશીર્વાદ આપીને જતો. મને એ “માન ન માન, હમ તુમાર મામા' ઉપર ચીડ ચડતી પણ એના હૃદયનો ઉમળકે મને બોલતો બંધ કરી દેતે.
એકને સ્થાને બે બીમાર. છતાં વિમલાદેવીને કૃપારામ વૈદની દવાથી ફાયદો નજરે પડ્યો. એના મુખ પર ખેવાયેલું નૂર ફરી આવતું લાગ્યું. ભરવા ચાહતી એ બાઈ જીવતરના વિચાર કરવા લાગી.