________________
પાપને પિકાર
૨૨૭ તના માધુર્યમાં રસી લેતા હતા. ગરબે ઘૂમતી સૌંદર્યભરી દેહયષ્ટિએ ઉપર દીપમાળાઓ રૂપલાં તેજ ઢળી રહી હતી. નગરની નારીઓ ઘૂમટા ખેંચી ગરબાની મજા જમાવી બેઠી હતી. યૌવનને તનમનાટ અનુભવતે હું કળામર્મજ્ઞના બહાને એ રમણીય અંગસૃષ્ટિ પર સૂક્ષ્મ નજર નાખી રહ્યો હતો.
બસ, એ જ પળ ને એ જ ઘડી-પડોશીની પુત્રી કાન્તા સાથે નેત્રનેત્ર બંધાણ. આખી દેહયષ્ટિ નિહાળી, ફરી નેત્રપલ્લવીઓ નચાવી. કોણ જાણે કેમ ? ક્ષણભરના એ અંગમરોડમાં ને નેત્રમિલનમાં અજબ ઈતિહાસ રચાયો. કોમળ કલિકાને ગમે તે રીતે છુંદી નાખવાનો નિશ્ચય મનમાં સુરેખ રીતે આદર પામ્યો.
પડોશી કૃપાશંકરની દશ વર્ષે વિધવા બનેલી એ એકની એક પુત્રી કાન્તા ! પાંચ, પાંચ પુત્રો બાદ જન્મેલી એક જ રૂપસુંદર પુત્રી ! પણ વિધિનાં વિધાન કુટિલ કે નાનપણમાં જ એ વૈધવ્યને પ્રાપ્ત થઈ
“બાપને દીકરી માટે દુઃખ ને દર્દનો પાર નહોતો, છતાં સમાજનાં બંધનો સામે ઊભાં હતાં. દીકરા નાતમાં જ વરાવવાના હતા. નાતની આજ્ઞામાં રહીને જ ચાલવાનું હતું, પણ આ છોકરીને જોઈ એને કંઈનું કંઈ થઈ જતું ! રે, એ અબળાનું યૌવન કેમ સચવાશે ? અને નહિ સચવાય તો બાપડીને પૃથ્વી પણ નહિ સંધરે. પિસ્તાળીસ વર્ષની ઉંમરે દાઢીમૂછ ઉપર કલપ લગાડી પરણનાર વરરાજાને જોઈ બાપની આંતરડી કકળી ઊઠતી. આ કે અન્યાય !
“હું કાન્તાને પડેલી. સ્કૂલને માસ્તર. મીઠી જબાનવાળો ને નવાં ફૂલેને શોખીન ! એ દિવસથી કાન્તા પાણી ભરવા જતાં યા અન્ય કામપ્રસંગે બહાર જતાં મને સામે મળતી ત્યારે જરા મુખ મલકાવતી. એ મુખનું સ્મિત મારા હૃદયને બહાવરું બનાવતું. મારું મન કહેતું એ અર્ધવિકસિત કલિકામાં શી શી સૌરભ ભરી હશે ? રે,