________________
કામ ને પ્રેમ
૨૨૫ બેવફા પતિ માટે તેને કેવા વિચારો આવતા'તા? તને ગળેટૂંપે દઈ દેવાનું કે સુશીલાના જે માર્ગ ગ્રહણ કરવાનું મન કેમ ન થયું ?'
“જૂનાં પિોથી-પુરાણેએ પિષેલી એ શ્રદ્ધા હતી. નિરાધારના આધાર ભગવાનનો મને ભરોસો હતો. સુશીલાને તમારા દેહની લાલસા હતી, મને તમારા અંતર પર પ્યાર હતો. એની રગરગમાં કામ હતું, હું તે તમને પ્રેમથી વરી હતી. મને વિશ્વાસ હતો કે મારે નવલ વહેમોડે મારે જ છે. ચંદ્ર વાદળમાં ક્યાં સુધી છુપાયેલું રહેશે ?”
નવલ હવે સ્વસ્થ ન રહી શક્યો. માણેકને ભુજપાશમાં દાબી દીધી. વર્ષો પુરાણો કાષ્ટના માંચડે દંપતીને રસગને સહયોગ પામી કૃતકૃત્ય બની ગયે. | ચંદ્ર હજી મલક્યા જ કરતો હતો. રાત્રી યુવાન બનતી હતી. બેચાર શિયાળવાં ખેતરમાં પ્રવેશવા વાડની ચારે તરફ ભટકી રહ્યાં હતાં. ઘેરખેઓએ ઊંડી ઊંડી ને અજાણી કબરમાંથી હાડ-માંસના સ્વાદે મડદાં ખોદવા માંડ્યાં હતાં.
પેલાં તે ખેતરની રખવાળી ભૂલી રસમાં મસ્ત બની ગયાં હતાં ને દામ્પત્ય જીવનની સૌથી મોડી રાત માણી રહ્યાં હતાં.
ને સંસારની એક મીઠી રાત આમ વણધી વહી જતી હતી.