________________
૨૩
દારૂખાનાને અનેલે માનવી સ્થિર થશે, ધર પામશે, ધર્મ પામશે તે પ્રતિષ્ઠિત થશે ઃ સંસાર સ્વર્ગ બનશે ; પૃથ્વી પર સહસ્ત્રદલ પદ્મ ખીલશે.
આ વિચારધારાના વેગમાં જન્મેલી કેટલીક વાતાના ઝૂંડમાંથી ચેાડીએક વાતે અહીં અપાય છે. આશા છે કે વાચક, એ વિચારસરણીથી એ વાંચે ! આ સંગ્રહની અન્તિમ વાર્તા મારા લેખનવ્યવસાયના પ્રારંભ પૂર્વેની પહેલી વાર્તા છે. ઈ. સ. ૧૯૩૨ માં લખેલી ! સ્વસ્થ હાજીમહમ્મદના સુપુત્ર દ્વારા સંચાલિત ‘વીસમીસદી’માં તા. ૨૪-૧-૧૯૩૪ના અંકમાં પ્રગટ થયેલી.
મારાં કેટલાંક પુસ્તકાની જેમ આ પુસ્તકને પણ એક ધન્ય યેાગ લાધે છે. ગુજરાતના જાણીતા ભાષાશાસ્ત્રી તે શિક્ષણશાસ્ત્રી, સંસ્કૃત-પ્રાકૃત ને માગધી ભાષાના પ્રકાંડ વિદ્વાન, સાથે યુરોપીય સાહિત્યના હ।ઈના મન શ્રીયુત મધુસૂદન મેાદી એમ. એ. એલએલ. ખી. ની પ્રસ્તાવના આ પુસ્તકને સાંપડે છે.
તેઓએ ખૂબ જ ઊંડા ઊતરીને આ પુસ્તકના વિષયને સ્પર્શ કર્યો છે; અને તેથી આ પુસ્તકની ઉપયોગિતામાં નિઃશ ́ક વધારા થયા છે. તેઓ કહે છે તેમ, સેાનાની લાકડીને ચાંદીની ખેાળ નથી પહેરાવી, પશુ મારી સીસમની લાકડીને તેમણે ચાંદી–સેાનાનું માઢિયું પહેરાવ્યું છે. એમનુ ઋણ શું માનું ? મિત્રા અને મુરખ્ખીઓનુ ઋણ કદી માન્યું મનાયુ' છે કે ન માન્યું અવમનાયું છે?
જયભિખ્ખુ
નૂતન વર્ષ : ૨૦૦૭ માદલપુર : અમદાવાદ—કે