________________
૧૯૪
કંચન ને કામિની થાય તે શેઠાણીની સ્થિતિ શી થાય, જાણે છે? એમને માથે શક્ય આવે. વગર વાંકે માછલાં ધોવાય. માટે શેઠાણીબાની ઈચ્છા છે, કે મારું પેટ એમને આપવું. છોકરે આવશે તે એ પહેલે દહાડે જ લઈ જશે.” ' “ના, ના, એ ન બને, ગંગા ! પછી આપણે શું કરીએ ? મેટાં માણસને છોકરાં જોઈએ, ને નાનાને નહિ?'
ભૂરિયે ઘણી વાર સુધી ન માને, પણ ગંગાએ આખરે એને વહાલ કરતાં સમજાવ્યું, કે આપણે આપણા પેટનું શું ભલું કરી શકવાનાં હતાં ? મજૂરને કરે મજૂર થશે, એ ધૂળમાં જ રમવાને, સેનાના ઘૂઘરા એના ભાગ્યમાં ક્યાંથી ? ભલા આદમી ! પિટનાં છેટુનું તે સારું વાંક? આ તે પાશેરામાં પહેલી પૂણી છે, ને હું તે સેનાની મરઘી જેવી છું. જોતજોતામાં પાંચ સાત મોર તારા આંગણે નાચવા લાગશે. જોઈ જોઈને, રમાડી રમાડીને થાકી જઈશ. માટે હા પાડી દે !”
ભૂરિયે કમને હા પાડી. એ જગતનાં બાળકોને ભિખારીઓ ઊછીનાં લઈ જતાં. લઈ જઈને શેઠિયાઓના આવવા-જવાના રસ્તે રતાં કે ધૂળમાં રગદોળાતાં મૂકતા. લેકે દયા ખાઈ ખાઈ પિસે નાખતા. સાંજે કઈ બાળકના છ આના તે કોઈના બાર આના મળતા. બાકીની કમાણ વડે ભિખારી લેતે.
ભૂરિયે એ પણ જાણતા હતા કે પિતાનાં ઘણું પડોશી માબાપ ભીખ માટે કામમાં આવે તે માટે બાળકને જન્મની સાથે આંધળાં કે સૂતાં-પાંગળાં બનાવી દેતાં. ભૂરિયે વિચાર્યું કે એના કરતાં તે આ ખરેખર સારું છે !
[૨ ] આજે શેરીઓમાં મેતી લૂંટાતાં હતાં. અનાજ તે ગાડેગાડાં વહેચાતું હતું. નગરશેઠના દરવાજે મુબારકબાદીના સંદેશા લાવનારા એનું કીડિયારું ઊભરાયું હતું