________________
૧૬૨
કંચન ને કામિની
હતો. નાજુક બદનનાં ને અતિ સુકમળ પ્રમીલા શેઠાણી સાત સાત સુવાવડે તવાઈ ગયાં હતાં, પણ પુત્રના જન્મે એમને આશ્વાસન આપ્યું હતું. સુવાવડના ખાટલેથી ઊઠે બે જ માસ થયા હતા. પણ આ મિજબાનીમાં વ્યવસ્થાનું કામ નગરશેઠની વિનંતીથી તેમણે માથે . ઉપાડી લીધું હતું.
શહેરનાં લાંબાં-પહેળાં શેઠકુટુંબમાં, વિલાસી શેઠાણીઓના વૃદમાં પ્રમીલા સતી ને સુશીલ ગણાતી. લગ્ન પહેલાનું ને લગ્ન પછીનું એનું જીવન બહુ જ મર્યાદિત હતું. કવિઓ કાવ્ય રચી શકે, વર્તમાનપત્રો ચચી શકે તેવાં કેઈ સાહસ કે છમકલાં પ્રેમની દુનિયામાં તેમણે કર્યા નહોતાં.
પ્રાસંગિક આનંદવિનોદ માટે બીજી શેઠાણીઓ પુષમિત્રો કે પુરુષ નોકર સાથે ઠઠ્ઠા કરવાની છૂટ લે છે, તેટલી છૂટ પણ તેમણે નહોતી લીધી. પરણીને સાસુ ને જેઠાણીના સાણસામાં ય સતી ને સુશીલા નારી તરીકેનું પિતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. નગરશેઠની કીર્તિ એ પિતાની કીર્તિ માનતી. શેઠાણી પતિનું સારું દેખાડવા માટે હજારે પ્રયત્ન કરતી. હાડ-સામને ગાળી નાખતી. એ સતીએ પતિ રૂપી હિમાળાને પ્રસન્ન કરવા જાત લૂંટાવી દીધી હતી!
રાત ગળતી જતી હતી, ને કામ કરનારાઓની આંખે પણ ઝોલે જતી હતી. પ્રમીલા શેઠાણું ખબરદારીથી કામ કરાવે જતા હતાં. કેઈને દાબથી તે કેઈને રફથી. પણ આયા પાસે રમતા પિતાના બાળકને ચૂપ રાખવા એને વારે ઘડીએ જવું પડતું. નોકરેને ઝોકાં ખાવા માટે આ સોનેરી તક લાધતી.
આખરે મેડી મેડી તે પણ કામ પૂરું થયું. સેનાચાંદીનાં વાસણે ગણી ભંડારમાં મૂક્યા પછી જ પ્રમીલાએ પાસે પડેલા કાચ પર જરા શરીર લાંબું કર્યું. સુવાવડને એકધારે મારે, સુકોમળ