SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ પાપપુણ્ય (ચાલુ) છે. પુણ્યનો ચઠાણિયો રર નથી, કારણ કે એકાંત શાતાનો ઉદય નથી. (પૃ. ૭૮૪, વ્યાખ્યાન-સાર-૨, આંક ૯૫૯) 1 ગુણનું અતિશયપણું જ પૂજ્ય છે, અને તેને આધીન લબ્ધિ, રિદ્ધિ ઇત્યાદિ છે; અને ચારિત્ર રવજી કરવું એ તેનો વિધિ છે. (પૃ. ૭૭૯ વ્યાખ્યાનમાર-૨, આંક ૯૫૯) D માન અને મતાગ્રહ એ માર્ગ પામવામાં આડા રસ્તંભરૂપ છે. તે મૂકી શકતાં નથી, અને તેથી સમજાતું નથી. સમજવામાં વિનયભક્તિની પહેલી જરૂર પડે છે. તે ભક્તિ માન, મહાગ્રહના કારણથી આદરી. શકાતી નથી. (પૃ. ૭૫૬, વ્યાખ્યાન-સાર-૧ આંક ૯૫૮) ભય | મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઇ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઇચ્છવી એ રૂપ જે ઈચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઇચ્છા હોય નહીં, અને પૂર્વકર્મના બળે તેવો કોઈ ઉદય હોય તોપણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે; અને જ્ઞાનપ્રાપ્તિનો કંઈ અંતરાય છે, માટે તે બરાગૃહરૂપ સરકાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે. (પૃ. ૪૩૫, આંક ૫૩૭) | ભક્તિજન પૂર્વ કળમાં જે જે જ્ઞાનીપુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કળ ધન્ય છે; તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે તે શ્રવણને, શ્રવણના કર્તાને, અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત્ છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીનાં શાસ્ત્રી કે માર્ગાનુસારી જ્ઞાનીપુરુષના સિદ્ધાંત, તેની અપૂર્ણતાને પ્રણામ અતિ ભક્તિએ કરીએ છીએ. અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે અને બીજી બાજુથી આવાં ક્ષેત્ર, આવા લોકપ્રવાહ, આવા ઉપાધિોગ અને બીજા બીજા. તેવા તેવા પ્રકાર જોઇ વિચાર મૂર્છાવત્ થાય છે. ઇશ્વરેચ્છા ! (પૃ. ૩૮૧, આંક ૪૬૫) ભીખવ્રત | અસારભૂત વ્યવહાર સારભૂત પ્રયોજનની પેઠે કરવાનો ઉદય વર્યા છતાં જે પુરુષો તે ઉદયથી ક્ષોભ ન પામતાં રાહજભાવ રવધર્મમાં નિશ્ચળ પણ રહ્યા છે, તે પુરુષોના ભીખવ્રતનું વારંવાર સ્મરણ કરીએ છીએ. (પૃ. ૬૦૮, આંક ૭૮૮) | સર્વ-ઉત્કૃષ્ટ ભૂમિકામાં રિથતિ થવા પર્વત શ્રુતજ્ઞાનનું અવલંબન લઈને સન્દુરુષો પણ રવદશામાં સ્થિર રહી શકે છે, એમ જિનનો અભિમત છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે.
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy