SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ પરમકૃપાળુદેવ અને ... ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. અંતઃકરણ જોઇને પેલું દર્શન સમ્યક્ હતું એમ મેં માન્યું. તેનું અંતઃકરણ બહુ દુ:ખી હતું. અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો. હાડમાંસમાં તેની વૃત્તિ હતી. કાંકરામાં તેની પ્રીતિ હતી. ક્રોધ, માનનો તે ઉપાસક હતો. બહુ દુઃખ - ૭૩૮ વારુ, આ દેવોનું દર્શન પણ સમ્યક્ સમજવું ? ‘નિશ્ચય કરવા માટે ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરીએ.' ચાલો ત્યારે – (તે ઇન્દ્રની ભવ્યતાની ભૂલ ખાધી.) તે પણ પરમ દુ:ખી હતો. બિચારો ચવીને કોઇ બીભત્સ સ્થળમાં જન્મવાનો હતો માટે ખેદ કરતો હતો. તેનામાં સમ્યદૃષ્ટિ નામની દેવી વસી હતી. તે તેને ખેદમાં વિશ્રાંતિ હતી. એ મહાદુઃખ સિવાય તેનાં બીજાં ઘણાંય અવ્યક્ત દુઃખ હતાં. પણ, (નેપથ્ય)-આ જડ એકલાં કે આત્મા એકલા જગતમાં નથી શું કે ? તેઓએ મારા આમંત્રણને સન્માન આપ્યું નથી. ‘જડને જ્ઞાન નહીં હોવાથી તમારું આમંત્રણ તે બિચારાં ક્યાંથી સ્વીકારે ? સિદ્ધ (એકાત્મભાવી) તમારું આમંત્રણ સ્વીકારી શકતા નથી. તેની તેમને કંઇ દરકાર નથી.' એટલી બધી બેદ૨કા૨ી ? આમંત્રણને તો માન્ય કરવું જોઇએ; તમે શું કહો છો ? ‘એને આમંત્રણ-અનામંત્રણથી કંઇ સંબંધ નથી. તેઓ પરિપૂર્ણ સ્વરૂપસુખમાં વિરાજમાન છે.' એ મને બતાવો. એકદમ-બહુ ત્વરાથી. ‘તેનું દર્શન બહુ દુર્લભ છે. લો, આ અંજન આંજી દર્શન પ્રવેશ ભેળાં કરી જુઓ.' અહો ! આ બહુ સુખી છે. એને ભય પણ નથી. શોક પણ નથી. હાસ્ય પણ નથી. વૃદ્ધતા નથી. રોગ નથી. આધિયે નથી, વ્યાધિયે નથી, ઉપાધિયે નથી. એ બધુંય નથી. પણ અનંત અનંત સચ્ચિદાનંદ સિદ્ધિથી તેઓ પૂર્ણ છે. આપણને એવા થવું છે. ‘ક્રમે કરીને થઇ શકશો.’ તે ક્રમ બ્રમ અહીં ચાલશે નહીં. અહીં તો તુરત તે જ પદ જોઇએ. ‘જરા શાંત થાઓ. સમતા રાખો; અને ક્રમને અંગીકાર કરો. નહીં તો તે પદયુક્ત થવું નહીં સંભવે.’ ‘‘થવું નહીં સંભવે’’ એ તમારાં વચન તમે પાછાં લો. ક્રમ ત્વરાથી બતાવો, અને તે પદમાં તુરત મોકલો. ‘ઘણા માણસો આવ્યા છે. તેમને અહીં બોલાવો. તેમાંથી તમને ક્રમ મળી શકશે.' ઇચ્છયું કે તેઓ આવ્યા; - તમે મારું આમંત્રણ સ્વીકારી આવ્યા તે માટે તમારો ઉપકાર માનું છું. તમે સુખી છો, એ વાત ખરી છે શું ? તમારું પદ શું સુખવાળું ગણાય છે એમ ? ‘તમારું આમંત્રણ સ્વીકારવું, ન સ્વીકારવું એવું અમને કંઇ બંધન નથી. અમે સુખી છીએ કે દુઃખી તેવું બતાવવાને પણ અમારું અહીં આગમન નથી. અમારા પદની વ્યાખ્યા કરવા માટે પણ આગમન નથી. તમારા કલ્યાણને અર્થે અમારું આગમન છે.’ એક વૃદ્ધ પુરુષે કહ્યું. કૃપા કરીને ત્વરાથી કહો, આપ મારું શું કલ્યાણ કરશો તે. અને આવેલા પુરુષોનું ઓળખાણ પાડો. તેમણે પ્રથમ ઓળખાણ પાડી. આ વર્ગમાં ૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૨ એ અંકવાળા મુખ્ય મનુષ્યો છે. તે સઘળા તમે જે પદને પ્રિય ગણ્યું તેના જ આરાધક યોગીઓ છે. ૪ થી તે પદ જ સુખરૂપ છે, અને બાકીની જગતવ્યવસ્થા અમે જેમ માનીએ છીએ તેમ માને છે. તે પદની અંતરંગની તેની અભિલાષા છે પણ તેઓ પ્રયત્ન કરી શકતા નથી; કારણ થોડો વખત સુધી તેમને અંતરાય છે. અંતરાય શો ? કરવા માટે તત્પર થાય એટલે થયું.
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy