SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૫ સ્વરોદયજ્ઞાન (ચાલુ) | - નાડી તો તનમેં ઘણી, પણ ચૌવીસ પ્રધાન; તામેં નવ પુનિ તાહમેં, તીન અધિક કર જાન. શરીરમાં નાડી તો ઘણી છે; પણ ચોવીસ તે નાડીઓમાં મુખ્ય છે; તેમાં વળી નવા મુખ્ય અને તેમાં પણ વિશેષ તો ત્રણ જાણ. હવે તે ત્રણ નાડીનાં નામ કહે છે : ઈગલા પિંગલા સુષુમના, એ તીનું કે નામ; ભિન્ન ભિન્ન અબ કહત હું, તાકે ગુણ અરુ ધામ. ઈગલા, પિંગલા, સુષુમણા એ ત્રણ નાડીનાં નામ છે; હવે તેના જુદા જુદા ગુણ અને રહેવાનાં સ્થળ કહું અલ્પાહાર નિદ્રા વશ કરે, હત સ્નેહ જગથી પરિહરે; લોકલાજ નવિ ધરે લગાર, એક ચિત્ત પ્રભુથી પ્રીત ધાર. અલ્પ આહાર કરનાર, નિદ્રાને વશ કરનાર, એટલે નિયમિત નિદ્રાનો લેનાર; જગતનાં હેત પ્રીતથી દૂર રહેનાર; (કાર્યસિદ્ધિથી પ્રતિકૂળ એવા) લોકની લજ્જા જેને નથી; ચિત્તને એકાગ્ર કરીને પરમાત્મામાં પ્રીતિ ધરનાર. આશા એક મોલકી હોય, બીજી દુવિધા નવિ ચિત્ત કોય; ધ્યાન જોગ જાણો તે જીવ, જે ભવદુઃખથી ડરત સદીવ. મોક્ષ સિવાયની સર્વ પ્રકારની આશા જેણે ત્યાગી છે; અને સંસારના ભયંકર દુ:ખથી નિરંતર જે કંપે છે; તેવા આત્માને ધ્યાન કરવા યોગ્ય જાણવો. પરનિંદા મુખથી નવિ કરે, નિજનિંદા સુણી સમતા ધરે; કરે સહુ વિકથા પરિહાર; રોકે કર્મ આગમન દ્વાર. પોતાના મુખથી જેણે પરની નિંદાનો ત્યાગ કર્યો છે, પોતાની નિંદા સાંભળીને જે સમતા ધરી રહે છે; સ્ત્રી, આહાર, રાજ, દેશ ઇત્યાદિક સર્વ કથાનો જેણે છેદ કર્યો છે; અને કર્મને પ્રવેશ કરવાનાં દ્વાર જે અશુભ મન, વચન, કાયા તે જેણે રોકી રાખ્યાં છે. અહર્નિશ અધિક પ્રેમ લગાવે, જોગાનલ ઘટ માંહિ જગાવે; અલ્પાહાર આસન દૃઢ કરે, નયન થકી નિદ્રા પરિહરે.
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy