SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૯ શ્વેતાંબર -દિગંબર (ચાલુ) આરાધના જોશો. (પૃ. ૭૭૭) “સર્વથા મોક્ષ થવો' એમ આ કાળે બને નહીં એમ બેયનો અભિપ્રાય છે; તે પણ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. (પૃ. ૩૫૪) શ્રી આનંદઘનજી શ્વેતાંબર સંપ્રદાયમાં હતા. “ચૂર્ણિ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, વૃત્તિ, પરંપરા અનુભવ રે' ઇત્યાદિ પંચાંગીનું નામ તેમના શ્રી નમિનાથજીના સ્તવનમાં ન આવ્યું હોત તો ખબર ન પડત કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે દિગંબર સંપ્રદાયના? (પૃ. ૬) શ્રી સમંતભદ્રસૂરિ વિ૦ નં૦ બીજા સૈકામાં થયા. તેઓ શ્વેતાંબર દિગંબર બન્નેમાં એક સરખા સન્માનિત છે. (પૃ. ૬૭૨) E દેવાગમસ્તોત્ર' જે મહાત્મા સમંતભદ્રાચાર્ય (જેના નામનો શબ્દાર્થ “કલ્યાણ જેને માન્ય છે', એવો થાય છે) બનાવેલ છે, અને તેના ઉપર દિગંબર તથા શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરી છે. એ મહાત્મા દિગંબર આચાર્ય છતાં તેઓનું કરેલું ઉપરનું સ્તોત્ર શ્વેતાંબર આચાર્યોને પણ માન્ય છે. (પૃ. ૭૭૪). “પરમાત્મપ્રકાશ' દિગંબર આચાર્યનો બનાવેલો છે. તે ઉપર ટીકા થઈ છે. (પૃ. ૭૭૫)
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy