SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ અભિનિવેશ એમ સમજવું યોગ્ય નથી. તેમાં કોમળપણું હોય છે ત્યારે અનંતકાયનો સંભવ છે, તથા તેને બદલે બીજી ઘણી ચીજોથી નિષ્પા૫પણે રહી શકાય છે, છતાં તે જ અંગીકાર કરવાની ઇચ્છા રાખવી તે વૃત્તિનું ઘણું તુચ્છપણું થાય છે, તેથી તે અભક્ષ્ય કહ્યાં છે; તે યથાર્થ લાગવા યોગ્ય છે. (પૃ. ૫૧૩) વડના ટેટા કે પીપળના ટેટાનું રક્ષણ પણ કંઈ તેના વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ્ય કહ્યું નથી. તેમાં કોમળપણું હોય છે ત્યારે અનંતકાયપણાનો સંભવ છે. તેથી તથા તેને બદલે બીજી ઘણી ચીજોથી ચાલી શકે તેવું છે છતાં તે જ ગ્રહણ કરવી એ વૃત્તિનું ઘણું સુદ્રપણું છે, તેથી અભક્ષ્ય કહ્યાં છે, તે યથાતથ્ય લાગવા યોગ્ય છે. (પૃ. ૫૧૫). જેની સવૃત્તિઓ વિશેષ બળવાન ન હોય અથવા નિર્બળ હોય, અને તેને ઈગ્લેંડાદિ દેશમાં સ્વતંત્રપણે રહેવાનું હોય, તો અભક્ષ્યાદિ વિષેમાં તે દોષિત થાય એમ લાગે છે. (પૃ. ૫૨૪). 0 જ્યાં સુધી ગૃહાશ્રમમાં વાસ હોય ત્યાં સુધી તો વાણિયારૂપ વર્ણધર્મને અનુસરવો તે યોગ્ય છે, કેમકે અભક્ષ્યાદિ ગ્રહણનો તેનો વ્યવહાર નથી. ત્યારે એમ આશંકા થવા યોગ્ય છે કે “લુહાણા પણ તે રીતે વર્તે છે, તો તેના અન્નાહારાદિ ગ્રહણ કરતાં શું હાનિ ? તો તેના ઉત્તરમાં એટલું જણાવવું યોગ્ય થઈ શકે કે વગર કારણે તેવી રીતિ પણ બદલાવવી ઘટતી નથી, કેમકે તેથી પછી બીજા સમાગમવાસી કે પ્રસંગાદિ આપણી રીતિ જોનાર ગમે તે વર્ણનું ખાતાં બાધ નથી એવા ઉપદેશના નિમિત્તને પામે. લુહાણાને ત્યાં અન્નાહાર લેવાથી વર્ણધર્મ હાનિ પામતો નથી; પણ મુસલમાનને ત્યાં અન્નાહાર લેતાં તો વર્ણધર્મની હાનિનો વિશેષ સંભવ છે, અને વર્ણધર્મ લોપવારૂપ દોષ કરવા જેવું થાય છે. આપણે કંઈ લોકના ઉપકારાદિ હેતુથી તેમ વર્તવું થતું હોય, અને રસલુબ્ધતા બુદ્ધિથી તેમ વર્તવું ન થતું હોય, તો પણ બીજા તેનું અનુકરણ તે હેતુને સમજ્યા વિના ઘણું કરીને કરે, અને અંતે અભક્ષ્યાદિ ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરે એવાં નિમિત્તનો હેતુ આપણે તે ચરણ છે, માટે તેમ નહીં વર્તવું તે, એટલે મુસલમાનાદિના અન્નાહારાદિનું ગ્રહણ નહીં કરવું તે, ઉત્તમ છે. તમારી વૃત્તિની કેટલીક પ્રતીતિ આવે છે, પણ તેથી ઊતરતી વૃત્તિ હોય તો તે જ પોતે અભક્ષ્યાદિ આહારના યોગને ઘણું કરીને તે રસ્તે પામે. માટે એ પ્રસંગથી દૂર રહેવાય તેમ વિચારવું કર્તવ્ય છે. દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાનાં સ્થાનકો છે, તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે, ત્યાં રહેવાનો તથા જવા આવવાનો પ્રસંગ ન થવા દેવો જોઇએ, નહીં તો જેવી જોઇએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે; તેમ જ અભક્ષ્ય પર વૃત્તિ ન જવા દેવા અર્થે, અને તે માર્ગની ઉન્નતિના નહીં અનુમોદનને અર્થે, અભક્ષ્યાદિ ગ્રહણ કરનારનો આહારાદિ અર્થે પરિચય ન રાખવો જોઇએ. બીજી ઊતરતી જ્ઞાતિઓ અથવા મુસલમાનાદિના કોઈ તેવાં નિમંત્રણોમાં અન્નાહારાદિને બદલે નહીં રાંધેલો એવો ફળાહાર આદિ લેતાં તે લોકોનો ઉપકાર સાચવવાનો સંભવ રહેતો હોય, તો તેમ અનુસરો તો સારું છે. (પૃ. ૫૨૫). T સંબંધિત શિર્ષક આહાર-વિહાર-વિહાર | અભિનિવેશ બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ ‘મિથ્યાત્વ'નો ત્યાગ કરી શકતો નથી. તે આ
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy