SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ मत्तञ्च सव्वलोकस्मिं मानसं भावये अपरिमाणं । उद्धं अधो च तिरियञ्च असम्बाधं अवेरं असपत्तं ।। ૧૩૯ ઉપર, નીચે, ચારે બાજુ અને સર્વ જગત પ્રત્યે અપરિમેય બાધારહિત, વિદ્વેષરહિત અને પ્રતિદ્વંદ્વરહિત એવા મૈત્રીભાવને હું ધારણ કરું ! तिट्टं चरं निसिन्नो वा सयानो वा यावतस्स विगतमिद्धो । एतं सतिं अधिठेय्य, ब्रह्ममेतं विहारमिधमाहु । ', સુત્તનિપાત, મેત્તસુત્ત, ૬-૮. ઊભાં, ચાલતાં, બેસતાં, સૂતાં કે જ્યાં સુધી ઊંઘ ન આવે ત્યાં સુધી, સર્વ અવસ્થાઓમાં ઉપર કહેલ (પૂર્વની બે ગાથાઓમાં બતાવી તે) મૈત્રીની સ્મૃતિ કાયમ રહેવી જોઈએ, એને જ આ લોકમાં ‘બ્રહ્મવિહાર’ કહે છે. मेत्ता, करुणा, मुदिता, उपेक्खा ति इमे चत्तारो ब्रह्मविहारा વિસુદ્ધમગ્ગ, નિર્દેશ ૩. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર બ્રહ્મવિહારો છે (કારણ કે તે બ્રહ્મની જેમ સર્વ જીવોને નિર્દોષ દષ્ટિએ જોતાં શીખવે છે.)
SR No.005961
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy