SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ अनादिमायारजनी, जननीं तमसां बलात् । स्वज्ञानभास्वदालोकादंतं नयति योगविद् ॥८३॥ : અર્થ: અંધકારની જનની એવી અનાદિકાલીન માયા-રાત્રિનો યોગીપુરુષ, પોતાના જ્ઞાન-સૂર્યના પ્રકાશથી બલાત્કારે નાશ કરે છે. (બળપ્રયોગથ) : વિવેચન : માયાની રાત્રિ અને અજ્ઞાનનો અંધકાર ! જ્ઞાનનો સૂર્ય ઉગે એટલે રાત્રિ જાય, અંધકાર નાશ પામે. પરંતુ આ જ્ઞાન-સૂર્ય આપોઆપ નથી ઉગતો, યોગી પુરુષ એ ઉગાડે છે ! તે પણ સહજતાથી-સરળતાથી જ્ઞાનસૂર્ય નથી ઉગતો, તેને પ્રયત્નપૂર્વક ઉગાડવો પડે છે. માયાની ઘનઘોર રાત્રિનો પ્રગાઢ અજ્ઞાન-અંધકાર, સામાન્ય મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનથી દૂર થાય એવો નથી હોતો. સામાન્યબુદ્ધિવાળા જ્ઞાનીનું એ કામ નથી હોતું. એવા સામાન્યજ્ઞાનીઓ તો એ માયારાત્રિમાં ભૂલા પડી જાય છે, અંધકારમાં ખોવાઈ જાય છે. માયા-રાત્રિના પ્રગાઢ અંધકારને દૂર કરવાનું કામ હોય છે યોગી પુરુષોનું. આત્મજ્ઞાની યોગીપુરુષો, આત્મજ્ઞાનનો પ્રકાશ રેલાવીને એ માયા રાત્રિનો અંધકાર નષ્ટ કરી શકે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ જ વાત કહી છે - जननी मोह-अंधार की, माया-रजनी क्रूर, ज्ञानभानु आलोकते, ताको कीजे दूर. માયાની રાત્રિમાં ક્રૂર કષાયપશુઓ ફરતાં હોય છે. મોહના અંધકારમાં વિષયવાસનાઓની જીવતી ડાકણો ફરતી હોય છે. અજ્ઞાની જીવોના એ લોહી ચૂસી લે છે. અજ્ઞાની જીવોનાં એ કષાયપશુઓ કોળીયા કરી જાય છે. માયાથી અને મોહથી બચવા, યોગીપુરુષોનું શરણ લો. ૮૪ ississionerate શાભ્યશતક શાયશતક
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy