SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियाप्रियव्यवतिर्वस्तुनो वासनावशात् । अंगजत्वे सुतःप्रेयान्, यूकालिक्षमसंमतम् ॥७६॥ : અર્થ : વસ્તુમાં પ્રિયાપ્રિયનો વ્યવહાર વાસનાના કારણે છે. (તાત્ત્વિક નથી.) કેમ કે , શરીરમાંથી ઉત્પન્ન થયેલો પુત્ર પ્રિય લાગે છે, એ જ શરીરમાંથી ઉત્પન્ન થયેલી જૂકે લીખ અપ્રિય લાગે છે. : વિવેચન : કોઈ વસ્તુ એકાંતે પ્રિય નથી લાગતી, એકાંતે અપ્રિય નથી હોતી. એક સમયે પ્રિય લાગતી વસ્તુ કાળાંતરે અપ્રિય લાગે છે. એક સમયે અપ્રિય લાગતી વસ્તુ, સમયાંતરે પ્રિય લાગે છે. પ્રિય-અપ્રિયની કલ્પનાઓ દેશ, કાલ, વ્યક્તિ, અવસ્થા... આદિના પરિવર્તન સાથે બદલાયા કરે છે. ગ્રંથકાર એક સચોટ દષ્ટાંત આપીને આ વાત સમજાવે છે. એક જ શરીર સ્ત્રીનું ! એમાંથી પુત્ર જન્મે છે, ગમે છે. જૂ - લીખ પેદા થાય છે, નથી ગમતી ! એવી રીતે અનેક દ્રષ્ટાંતો આપી શકાય એમ છે - - એક સમયે ગમતી માતા, પરણ્યા પછી પુત્રને નથી પણ ગમતી! – એક સમયે ગમતો પત્ની, પરસ્ત્રીમાં આસક્ત પતિને નથી ગમતી! - કમાતો દીકરો, બેકાર બની જતાં નથી પણ ગમતો ! - શ્રીમંત મિત્ર, નિર્ધન બની ગયા પછી નથી ગમતો ! આ શ્લોકનો અર્થ ઉપાધ્યાયજીએ આ રીતે કર્યો છે - प्रिय-अप्रिय व्यवहार निज, रुचिरस साचो नाही, अंगज वल्लभ सुत भयो, यूकादिक नहि काही. કહેવાનું તાત્પર્ય એ છે કે - કોઈ વસ્તુ, કોઈ પદાર્થ પ્રિય હોતો નથી કે અપ્રિય હોતો નથી. એ પ્રિય-અપ્રિયનો સમગ્ર વ્યવહાર, જીવની વાસનાના કારણે હોય છે. જ શામ્યશતક New ૭૭
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy