________________
स्वान्तं विजित्य दुर्दान्तमिन्द्रियाणि सुखं जयेत् । तत्तु तत्त्वविचारेण जेतव्यमिति मे मतिः ॥७॥
: અર્થ : દુઃખે કરીને દમન કરી શકાય એવા મનને જીતવાથી, ઇન્દ્રિયો સુખપૂર્વક જીતી શકાય છે. મનને તત્ત્વવિચારથી જીતવું જોઈએ. એમ મારૂં (ગ્રંથકારનું) માનવું છે.
: વિવેચન : મનને જીતવું, ઘણું દુઃખદાયી છે. ઘણું મુશ્કેલ છે. પરંતુ જો તમે મનને જીતી લો છો, તો ઇન્દ્રિયોને સુખપૂર્વક જીતી શકશો. ઇન્દ્રિયો મનની આજ્ઞા માને છે.
દુન્તિ મનનું દમન કરવાથી એ નહીં જીતી શકાય. એનું શમન કરવાનો પ્રયત્ન કરો, શાન્ત-પ્રશાન્ત કરવાનો ઉપાય કરો તો એને જીતી શકાશે. મનનું શમન તત્ત્વચિંતનથી કરી શકાય છે ! તત્ત્વચિંતન મનશમનનો અમોઘ ઉપાય છે. એટલે જ તીર્થકર ભગવંતોએ તત્ત્વઅભ્યાસ કરવાનો, તત્ત્વોની અનુપ્રેક્ષા (ચિંતન) કરવાનો ખાસ ઉપદેશ આપ્યો છે. ખાસ કરીને સાધુ-સાધ્વીને દિવસ-રાતના ૧૫ કલાક એ માટે ફાળવ્યા છે !
જીવ, અજીવપુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષઆ નવ તત્ત્વોનું ચિંતન કરતા રહો. કોઈ જ્ઞાનીપુરુષ પાસેથી ચિંતન કરવાની કળા શીખી લો. આ તત્ત્વચિંતથી અવશ્ય તમે મનોવિજય મેળવી શકશો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ પણ આ જ વાત કહી છે - दुर्दमन के जय किये, इन्द्रिय जग सुख होत,
तात मन जय करन कुं, करो विचार-उद्योत. વિચાર-ઉદ્યોત’ એટલે તત્ત્વચિંતન. ઇન્દ્રિયો પર વિજય મેળવવા મનોજય કરો. મનોજય કરવા તત્ત્વચિંતન કરો.
તત્ત્વચિંતન કરવા તત્ત્વોનો અભ્યાસ કરો. શાખ્યશતક
૭૧