________________
स्वैरचारीन्द्रियाश्वीयविशृंखलपदक्रमैः । विसृत्वरेण रजसा तत्त्वद्रष्टिविलीयते ॥ ६१ ॥
: અર્થ : સ્વેચ્છાચારી ઈન્દ્રિયોરૂપી અશ્વોના ઉદ્ધત નિબંધન) પગલાંથી ઉડેલી જ વડે “તત્તવૃષ્ટિ' લોપાય છે.
.: વિવેચન : ધુળાટીયો રસ્તો હોય અને સ્વેચ્છાચારી નિબંધન ઘોડાદોડતા હોય, ત્યારે જે ધૂળ ઉડે, એ ધૂળથી આંખો ભરાઈ જાય, દેખાતું બંધ થઈ જાય.
એવી રીતે આ ભવના મારગ પર સ્વેચ્છાચારી ઈન્દ્રિયોના અશ્વો, નિબંધન બનીને દોડે છે ત્યારે રજોગુણની ધૂળથી તત્ત્વદ્રષ્ટિ લોપાઈ જાય
તત્તવૃષ્ટિ !
મોક્ષમાર્ગની આરાધનામાં તત્ત્વદ્રષ્ટિનું અસાધારણ મહત્ત્વ હોય છે. આત્મસામ્રાજ્યનું દર્શન તત્ત્વદૃષ્ટિથી જ થઈ શકે છે. વૈરાગ્ય-સંપત્તિ, તત્ત્વદ્રષ્ટિથી જ મળી શકે છે. તત્ત્વદ્રષ્ટિથી જ આ બધી ભવની ભ્રાન્તિઓ દૂર થાય છે. તત્ત્વદ્રષ્ટિથી જ જગતનું વાસ્તવિક દર્શન પ્રાપ્ત થાય છે.
તમારી પાસે જ્યાં સુધી તત્ત્વદ્રષ્ટિનો ઉઘાડ હશે ત્યાં સુધી એક પણ ઇન્દ્રિયનો વિકાર તમારા મનમાં ઉત્પન્ન નહીં થઈ શકે. આ તત્ત્વદ્રષ્ટિનો મહાન્ ઉપકાર છે. આવી પરમ ઉપકારી તત્ત્વદ્રષ્ટિને ય એક માત્ર ઇન્દ્રિયોના ઉદ્ધત અને ઉન્મત્ત આચરણનો છે. એટલે ઇન્દ્રિયોના અશ્વોને છૂટા મૂકી દેવાના નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
अनियत चंचलकरण हय, पद-प्रवाह रजपूर, आशाछादत करत है, तत्त्वद्रष्टि बल दुर. આશા' એટલે દિશા. હય એટલે અશ્વ. અશ્વોના પદ-પ્રહારથી જે રજ (ધૂળ) નું પૂર ઉછળે છે, તે દિશાઓને ઢાંકી દે છે અને તત્ત્વદ્રષ્ટિનું બળ તોડી નાંખે છે.
દર
SANAND SARARARARARARA શાખ્યશતક