SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ स्वैरचारीन्द्रियाश्वीयविशृंखलपदक्रमैः । विसृत्वरेण रजसा तत्त्वद्रष्टिविलीयते ॥ ६१ ॥ : અર્થ : સ્વેચ્છાચારી ઈન્દ્રિયોરૂપી અશ્વોના ઉદ્ધત નિબંધન) પગલાંથી ઉડેલી જ વડે “તત્તવૃષ્ટિ' લોપાય છે. .: વિવેચન : ધુળાટીયો રસ્તો હોય અને સ્વેચ્છાચારી નિબંધન ઘોડાદોડતા હોય, ત્યારે જે ધૂળ ઉડે, એ ધૂળથી આંખો ભરાઈ જાય, દેખાતું બંધ થઈ જાય. એવી રીતે આ ભવના મારગ પર સ્વેચ્છાચારી ઈન્દ્રિયોના અશ્વો, નિબંધન બનીને દોડે છે ત્યારે રજોગુણની ધૂળથી તત્ત્વદ્રષ્ટિ લોપાઈ જાય તત્તવૃષ્ટિ ! મોક્ષમાર્ગની આરાધનામાં તત્ત્વદ્રષ્ટિનું અસાધારણ મહત્ત્વ હોય છે. આત્મસામ્રાજ્યનું દર્શન તત્ત્વદૃષ્ટિથી જ થઈ શકે છે. વૈરાગ્ય-સંપત્તિ, તત્ત્વદ્રષ્ટિથી જ મળી શકે છે. તત્ત્વદ્રષ્ટિથી જ આ બધી ભવની ભ્રાન્તિઓ દૂર થાય છે. તત્ત્વદ્રષ્ટિથી જ જગતનું વાસ્તવિક દર્શન પ્રાપ્ત થાય છે. તમારી પાસે જ્યાં સુધી તત્ત્વદ્રષ્ટિનો ઉઘાડ હશે ત્યાં સુધી એક પણ ઇન્દ્રિયનો વિકાર તમારા મનમાં ઉત્પન્ન નહીં થઈ શકે. આ તત્ત્વદ્રષ્ટિનો મહાન્ ઉપકાર છે. આવી પરમ ઉપકારી તત્ત્વદ્રષ્ટિને ય એક માત્ર ઇન્દ્રિયોના ઉદ્ધત અને ઉન્મત્ત આચરણનો છે. એટલે ઇન્દ્રિયોના અશ્વોને છૂટા મૂકી દેવાના નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - अनियत चंचलकरण हय, पद-प्रवाह रजपूर, आशाछादत करत है, तत्त्वद्रष्टि बल दुर. આશા' એટલે દિશા. હય એટલે અશ્વ. અશ્વોના પદ-પ્રહારથી જે રજ (ધૂળ) નું પૂર ઉછળે છે, તે દિશાઓને ઢાંકી દે છે અને તત્ત્વદ્રષ્ટિનું બળ તોડી નાંખે છે. દર SANAND SARARARARARARA શાખ્યશતક
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy