________________
अंतरंगद्विषत्सैन्यनासीरैर्वीरकुंजरैः ।। क्षणादक्षैः श्रुतबलं लीलयैव विलुप्यते ॥६०॥
: અર્થ : અંતરંગ શત્રુઓના સૈન્યના મોખરે રહેનારા ઇન્દ્રિયોરૂપ મહાવીર, લીલા માત્રથી (સહજતાથી) શ્રુતબળ (જ્ઞાનબળ) નો ક્ષણમાં નાશ કરી નાખે છે.
.: વિવેચન : અંતરંગ શત્રુઓની એક મોટી સેના છે. એ સેનાના અગ્રભાગે આ ઇન્દ્રિયરૂપ પાંચ મહાવીરો રહેલા હોય છે. આ પાંચેય મહાવીરો પ્રચંડ શકિત ધરાવે છે.
આ ઇન્દ્રિય-મહાવીરો - ભલભલા તપસ્વીઓને ભૂશરણ કરી દે છે. - મોટમોટા દાનવીરોને ધૂળ ચાટતા કરી દે છે. - મોટા શાસ્ત્રજ્ઞોને વિદ્વાનોને પરાજિત કરી દે છે. - મહાનું બુદ્ધિમાનોને ક્ષણવારમાં હરાવી દે છે ! શાસ્ત્રો સાક્ષી છે, ઇતિહાસ સાક્ષી છે.
માટે મહત્ત્વનું કાર્ય છે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાનું. પાંચે ઇન્દ્રિયોને વશ કરવાની છે. આ વશ કરવાની અદ્ભુત કળા આપણે મહામુનિ સ્થૂલભદ્રજી પાસેથી શીખવાની છે. જે કોશા-વેશ્યાના ભવનમાં સ્થૂલભદ્ર ઇન્દ્રિયોથી પરાજિત થઈને પડયા રહ્યા હતા, તે જ ભવનમાં સ્થૂલભદ્ર મહામુનિ બનીને પાંચ ઇન્દ્રિયોના વિજેતા બનીને રહ્યા હતા. કોશાએ ઇન્દ્રિયોના બધા જ સુભટો દ્વારા સ્થૂલભદ્ર ઉપર આક્રમણ કર્યું હતું. પરંતુ તે ફાવી ન હતી.
સ્થૂલભદ્રજીએ એ મહા અદ્વિતીય વિજય, આત્મજ્ઞાનની લીનતાથી મેળવ્યો હતો, સમત્વની શ્રેષ્ઠ સાધનાથી મેળવ્યો હતો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
ગંતાં-fપુ–દેવી-મટ, સેનાની વવંત,
इन्द्रिय क्षणमें हरत है, श्रुतबल अतुल अनंत. શામશતક NANAGAR MANINAGAR 1