________________
आत्मनः सततस्मेरसदानन्दमयं वपुः । स्फुरल्लुकाजिलस्फातिः कोपोऽयं ग्लपयत्यहो ॥३३॥
: અર્થ : આત્માના નિરંતર વિકાસ પામેલા શ્રેષ્ઠ આનંદથી વ્યાપ્ત એવા આ શરીરને, પ્રજવલિત જ્વાળાઓના વિસ્તારથી હુરાયમાન એવો ક્રોધ ગ્લાનિ પમાડે છે.
: વિવેચન : કોઈ યોગીએ આ શરીરને કથિર જેવું કહ્યું છે, કોઈ મુનિએ આ કાયાને માટી જેવી કહી છે, કોઈ ઋષિએ આ દેહને લાકડા જેવો તુચ્છ કહ્યો છે !
આ ગ્રંથકાર કહે છે. આ શરીર આત્માનંદને અનુભવવાનું શ્રેષ્ઠ સાધન છે ! આ શરીર નિરર્થક નથી, તુચ્છ નથી, અનુપયોગી નથી. આત્માના નિરંતર વિકાસ પામતા. ઉલ્લસિત થતા શ્રેષ્ઠ નાનંદને, આ શરીરના માધ્યમથી અનુભવવાનો છે. યોગીઓ, ઋષિઓ અને મુનિવરો. આ શરીરથી જ આત્માનંદની અનુભૂતિ કરે છે.
એવા આ શ્રેષ્ઠ માનવદેહને, આ ક્રૂર-કષાય નુકસાન પહોંચાડે છે. ક્રોધથી આ શરીર સુકાઈ જાય છે, જીર્ણ થઈ જાય છે. ભૂકો થઈ જાય છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે -
चेतनका कोमल ललित, चिदानंदमय देह, सूक भूक जुर जात है, क्रोध लूकते तेह. ક્રોધની શરીર પર કેટલી બધી ખરાબ અસરો થાય છે, એ વાતો તો વૈદ્યો અને ડોકટરો પણ કરે છે, પરંતુ એ વાતો ભૌતિક દૃષ્ટિની હોય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ શરીરને કેવું મોટું નુકસાન થાય છે, એ વાત ગ્રંથકારે કરી છે. આ માનવશરીરના માધ્યમથી આત્માનંદને અનુભવવાની વાત કરી છે. માનવદેહ સાથે માનવ-મનનો સંબંધ સમજી લેવાનો છે. માનવ-મનને, ક્રોધ ભયંકર નુકસાન કરે છે. જ
૩૪
Barassessions: શામ્યશતક