________________
सैष द्वेषशिखी ज्वालाजटालस्तापयन्मनः । निर्वाप्यः प्रशमोद्दामपुष्करावर्तसेकतः ॥२७॥
અર્થ : હદયને તપાવનાર, વાલાઓથી વ્યાપ્ત હૈષાગ્નિને, પ્રશમના પુષ્કરાવતી નામના ઉગ્ર મેઘના જળસિંચનથી શમાવવો જોઈએ.
ઃ વિવેચન : લેષ ભયંકર અગ્નિ છે. એ અગ્નિમાંથી ભયાનક જ્વાળાઓ પ્રગટી રહી છે.
આ દ્વેષાગ્નિ, જીવાત્માના હૃદયને સંતાપે છે, ઉદ્વિગ્ન કરે છે. માટે એને તત્કાલ બુઝાવી દેવો જોઈએ.
દ્વેષની આ પ્રચંડ આગ, સામાન્ય અગ્નિશામક બંબાથી બુઝાય એવી નથી. એને બુઝવવા સામાન્ય વર્ષા પણ સમર્થ નથી. એને બુઝવવા તો પ્રશમનો પુષ્પરાવર્ત મેઘ જોઈએ ! પુષ્કરાવી મેઘની વર્ષા જ દ્વેષના પ્રચંડ દાવાનલને બુઝવી શકે છે.
પ્રશમભાવનો પુષ્કરાવર્ત મેઘ !
ગ્રંથકારે કેવો શ્રેષ્ઠ અને અસાધારણ ઉપાય બતાવ્યો છે ! આ મેઘ, મૂશળધારે વરસ્યા જ કરતો હોય છે... કોઈ એવી આગ નથી આ દુનિયામાં, કે જે આ મેઘવર્ષાથી ન બુઝાય.
શમભાવ, પ્રશમભાવ, ઉપશમ ભાવ... વરસતો જ રાખો ! છે – છ મહિનાઓ સુધી સંગમદેવ ઉપર ભગવાન મહાવીરસ્વામીએ આ પ્રશમભાવના પુષ્કરામેઘને વરસતો જ રાખ્યો હતો ને ! આગ બુઝાઈ ગઈ હતી..
ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ શ્લોકનો ભાવાનુવાદ આ રીતે કરે છે.
प्रशम-पुष्करावर्तके, बरसत हरख विशाल,
द्वेष-हुताश बुझाइये, चिंताजाल ज टाल ॥ ‘જ્યારે પ્રથમ-પુષ્પરાવર્ત વરસે, ત્યારે ખૂબ હરખો ! ખૂબ હરખો! દ્વેષાગ્નિ (હુતાશન=આગ) ને બુઝાવો ! પછી કોઈ ચિંતા નહીં રહે.
આપણે આપણા જ હૃદયમાંથી (હૃદયના આકાશમાંથી) આ પુષ્કરાવ-મેઘની વર્ષા કરવાની છે ! ૨૮ SANSARI RAMA શાખ્યશતક