SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૧ : ૬૩ : (૩) એકવાર આવી પતી જાય એમે ય નહિ, પણ અનેક જન્મોનાં દુઃખની પરંપરા સર્જે છે; અર્થાત્ ૧. અનેક ભવો સુધી વેઠવા પડે એવાં કર્મોને તથા ૨. અનેક ભવોમાં જઈને નવાં નવાં અશુભ કર્મ ઊભાં કરે એવાં કર્મ-બીજોને, વર્તમાન સંસાર પેદા કરતો હોવાથી જન્મ વગેરે દુઃખોની પરંપરાને ચલાવનારો પણ છે, એટલે સંસાર દુ:ખાનુબંધી છે. આ જોતાં, ‘અહો ! આપણો જીવ ક્યારનોય છે ? એને ભટકવાનું કેવા અનંત અનંત કાળ વહી ગયા છતાં ચાલુ છે ! અને કેવાં ઘોર દુઃખો અનંત કાળથી એ વેઠી રહ્યો છે ! છતાં હજી આવા કારમાં સંસારથી અરે ! પાગલ એ થાક્યો નથી ? થાક્યો હોય કંટાળ્યો હોય, તો સંસારનો અંત લાવવા કેમ કટીબદ્ધ ન થાય ? અનંત કાળના લેખામાં અતિ અલ્પ કાળવાળો આ માનવભવ કઈ ગણતરીમાં ? એવા અલ્પ કાળમાં જરા કષ્ટ વેઠી સંયમ સાધી લે તો શું બગડે ? છતાં મૂઢ નાદાન જીવ પૂર્વની જેમ જ અનંતા જન્માદિ-દુઃખોની પરંપરા ઊભી થાય એવું જ કરવામાં રચ્યો પચ્યો રહે છે ! અને અફસોસ ! તે આ મહામૂલ્યવંતા ઉત્તમ માનવભવે જીવનને વેડફી રહ્યો છે ! કેટલી બધી કિંમત ખર્ચીને આ ભવ હાથમાં આવ્યો છે, એનું એને ભાન નથી. તેની તેનો ઉપયોગ લાખોની કિંમતના હીરાથી મૂઠી મમરા ખરીદવાની જેમ તુચ્છ અને આત્મઘાતક વિષયસુખો ખરીદવામાં કરી રહ્યો છે ! આહાહાહા ! જીવ ! જરા થોભ, વિચાર કે ત્યારે હવે આ સંસાર ક્યારે ટાળવાનો ?' સંસાર ટાળવાનો ઉપાય શુદ્ધ ધર્મ છે. સંસારોચ્છેદક ઉપાય સાધવાની રીત : એઅસ્સ ણું .' આમાં ‘છું' શબ્દ વાક્ય-રચનાની માત્ર શોભા અર્થે છે, એનો કોઈ અર્થ નથી. આ સંસારનો ઉચ્છેદ (નાશ) જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ શુદ્ધ ધર્મથી થાય. પણ તે ધર્મ (૧) ઔચિત્ય સાથે, (૨) સતત (નિરંતર), (૩) સત્કાર સહિત, અને (૪) વિધિપૂર્વક સેવાય તો. એમ ન માનવું કે વ્રતધારી ગૃહસ્થ શ્રાવકથી અને તેથીયે ઉતરતા અવ્રતી ગૃહસ્થથી આવી આરાધના શે થાય ? થાય, અભિગ્રહ (પ્રતિજ્ઞા) ના પાલનથી થાય. અર્થાત્ પોતાની કક્ષાની દર્શન-જ્ઞાન-ચારિત્રની વિવિધ આરાધના પ્રતિજ્ઞા સાથે કરવાથી થાય. અહીં (૧) સર્વત્ર ઔચિત્યનું પાલન જીવનમાં ન હોય તો એકલી શુદ્ધ પણ ધર્મની સાધના આત્માના અનાદિના કુસંસ્કારો મિટાવી દેવા સમર્થ નથી બનતી. અનુચિત આજીવિકા, અયોગ્ય વર્તાવ આત્માને કઠોર રાખે છે; આત્મા સાથે એકમેક થતા નથી. જેમ ઘડો, કુંડું, લાડું વગેરે ભિન્ન ભિન્ન આકૃતિના પરિણામ (ઘાટ) કઠણ માટી પર ઉતારી શકાતા નથી, પરંતુ ટીપાઈ ટીપાઈને કૂણી બનેલી માટી ૫૨
SR No.005959
Book TitlePaap Pratighat ane Gun Bijadhan
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Satsang Mandal Saila
PublisherRaj Saubhag Satsang Mandal Saila
Publication Year
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy