________________
સૂત્ર – ૧
: ૫૧ :
ઘસાવાનું કરી છૂટે છે. છેષ પોષવા તો ઘસારો ન ય વેઠ. (૧૯) ૮ષ દુર્ગુણ છે એ હજી ખબર હશે, પણ રાગ એ આત્માનો સ્વભાવ નથી. કિંતુ દુર્ગુણ છે એ ખબર નથી. (૨૦) દ્વેષ દઈ કાળ રહે તે કેટલીક વાર ગમતું નથી. પણ રાગ લાંબો રહે તે ગમે છે. પણ (૨૧) એકજ વસ્તુ પર રાગ કાયમ ટકતો નથી; કારણ કે એ સ્વભાવ નથી. વળી રાગને વફાદાર રહી શકતા નથી. તો જ્યારે રાગને વફાદાર રહી શકાતું નથી, ત્યારે રાગ ધરવો શા માટે ? એનું કારણ જણાતું નથી, અને રાગ કર્યા વિના રહી શકાતું નથી. છોડવો પડશે એ ચોક્કસ છે. (૨૨) રાગ સર્વથા ભયંકર ! તે ગયો એટલે તો બધી ભયંકરતા ગઈ. ક્રોધ, માન, માયા, લોભ, બધાય રાગની સેવામાં, અને રાગને મજબુત કરનારા. (૨૪) રાગને લીધે મિથ્યા મતિ ટકે, અને મિથ્યા મતિથી રાગ પોષાય. રાગની વસ્તુ પ્રાપ્ત કરવા, સાચવવા, ભોગવવા, ક્રોધ, માન, માયા, અને લોભ છૂટથી કરાય છે. રાગના પાત્ર પર કાં કામવાસના, કાં સ્નેહ, કાં દ્રષ્ટિરાગ રહેવાનો; રાગની વસ્તુ અંગે હાસ્ય અને આનંદ (રતિ), ઉદ્વેગ (અરતિ) અને શોક, રાગની વસ્તુ અંગે ભય ... એમ રાગ પાછળ તોફાન ઘણાં ! ઠેષ પાછળ એટલા ન પણ હોય. (૨૫) આઠ કર્મની જડ મોહનીય; અને મોહનીયની જડ રાગ. મોહનીયની બધી પ્રકૃતિનાં મૂળમાં રાગ. તીવ્ર કોટિનો રાગ એટલે કે અનંતાનુબંધી રાગ ન જાય ત્યાં સુધી મિથ્યાત્વ ન જાય. (૨૬) રાગનો પક્ષપાત ભારે હોય છે. પક્ષપાતવાળો રાગ એ તીવ્ર રાગ છે. જે કષાય હિતકારી લાગે, કર્તવ્ય લાગે, “કેમ ન કરીએ ? એમાં શું થઈ ગયું ?' એમ ભાસે, અંતરના ઉંડાણમાં પણ એ ખૂંચે તો નહિ, કિન્તુ ટુચે, એ તીવ્ર કષાય અનંતાનુબંધી કષાય છે. એ હોય ત્યાં સુધી સંસારનો રસ અને અતત્ત્વનો દુરાગ્રહ હૃદયમાંથી ખસે નહિ. એ તો કહે છે, “પતી ઉપર, પુત્ર ઉપર રાગ કરીએ તો શું વાંધો ? ત્યાં રાગ ન કરીએ તો શું ત્યાં ઝઘડીયે ?' પણ તેના જવાબમાં એમ પૂછીએ કે દુનિયામાં હિંસા, જૂઠ, ચોરી કોના માટે થાય છે ? એજ પતી પુત્ર માટે ને ? એની સાથે લડો નહિ, પણ અંધ રાગ ઓછો કરો તો જીવનમાં દુર્ગુણો અને દુષ્કૃત્યોના ગુના ઓછા થાય. હિંસા, જૂઠ, ચોરી દુનિયા ઉપરથી ઓછા થાય તે સારૂં ? કે વધે તે સારૂં ? જગત શેનાથી સુખી ? (૨૭) હિંસા, જૂઠ, ચોરીમાં સહાયક તરીકે દ્વેષ કરતાં રાગ વધારે. ચોરી કરાવી કોણે ? રાગે કે દ્વેષે ? દુનિયામાં કોઈને દુઃખી જોવા છતાં તેનું દુઃખ ઓછું કરવા શા માટે યત નથી ! ધનના અને કુટુંબના રાગને અંગે જ. (૨૮) પરમાર્થ ચૂકાવે છે કોણ ? રાગ જ ને ? એજ રાગને લીધે પછી ગરીબ પર દ્વેષ થાય, કહે “તગડો થઈને માગે છે ? મજુરી કરવી નથી' ... ઈત્યાદિ (૨૯) અનીતિ કરી પચીસ-પચાસ મળતા હોય તો કોના અંગે મેળવાય ? રાગના અંગે કે દેશના