________________
:૪૭
પંચસૂત્ર - ૧ લું
(પાપપ્રતિધાત-ગુણબીજાધાન) ... णमो वीअरागाणं सवण्णूणं देविंदपूइआणं जहट्ठिअ
वत्थुवाइणं तेल्लुकगुरुणं अरुहंताणं भगवंताणं । અર્થ :- વીતરાગ સર્વજ્ઞ દેવેન્દ્રોથી પૂજાયેલ, તથાસ્થિત વસ્તુવાદી ત્રણલોકના ગુરુ અરિહંત ભગવાનને હું નમસ્કાર કરું છું.
વિવેચન :- હવે પંચસૂત્રની શરૂઆત થાય છે, તેમાં “નમો વિયરાગાણું' એ પહેલું વાક્ય ગ્રંથના મંગળાચરણનું છે. શુભ કાર્યના પ્રારંભે મંગળ તો ખાસ કરવું જોઈએ, જેથી વિધ દૂર થાય. શુભ કાર્ય કરતાંજ વિધો નડે છે, માટે જ ત્યાં મંગળ જોઈએ. અશુભ કાર્ય કરતાં વિદ્ધ નડે તો સારું, જેથી અશુભ કરતાં અટકીએ; પણ અશુભમાં તો વિમો ન આવીને પાપની સગવડ કરી આપે છે ! એ વાત અજ્ઞાની સમજતો નથી તેથી અશુભથી શા સારુ પાછો હટે ? મંગળ એ વિદ્વોનો નાશ કરે તેવું કૌવતવાળું છે. મંગળ ઈષ્ટ દેવતાના સ્મરણથી યા નમસ્કારથી થાય. જગતમાં દેવાધિદેવ અરિહંત વીતરાગ પરમાત્મા એ સર્વશ્રેષ્ઠ ઈષ્ટદેવ છે, તેમને કરેલો એક નમસ્કાર પણ વિમોનો નાશ કરવા પૂરતો છે. ભાવનું મહત્ત્વ : ક્રિયાનો ટેકો :
વીતરાગ પરમાત્મા અનંત ગુણોના અને અનંત જ્ઞાનના ઘણી છે. એવા એમનું વિશુદ્ધ ધ્યાન, અને ઉચ્ચ કોટિનો એમનો સંકલ્પ એ ઘણાં કર્મની નિર્જરા કરાવવાના સામર્થ્યવાળો છે. પણ એ નમસ્કાર ભાવથી થવો જોઈએ. જેટલી ભાવમાં કમીના - તેટલી જ ફળમાં કચાશ. ભાવમાં કચાશ રહે તે દોષ આપણો છે. શુભ અધ્યવસાય (ભાવ) ઉચ્ચ કોટિનાય અશુભ કર્મો તોડે છે, અને શુભ ફળ આપે છે, ત્યારે અશુભ ભાવ અધમ કોટિના ચીકણાં પાપ કર્મ બંધાવે છે. અધ્યવસાયનો મહિમા જુઓ કે ક્યારેક દેખાવમાં બહુ હિંસા કરનારો જેટલો નીચે જતો નથી, તેથી વધારે નીચો હિંસાની ઉગ્ર ભાવનાવાળો જાય છે. તંદુળિયા મચ્છને બહુ જ નાની કાયા, શક્તિ બહુ ઓછી, એથી દેખીતી હિંસા અલ્પ, છતાં પણ પાપના વિચાર એટલા બધા હલકા કે એ મરીને નરકે જાય. અહીં એમ ન વિચારવું કે “ત્યારે તો હિંસા કરવામાં વાંધો નહિ, ભાવ શુદ્ધ રાખશું.”- આ ખોટી માન્યતા ન ધરવી, કેમકે હિંસાની ક્રિયા