SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨: પંચસૂત્ર તે હોય, પણ મને એનો મોહ લાગી ગયો છે એટલે તમારે પગે પડું, ઘો મને તમે મારો લાડવો.’ ‘ભલાભાઈ ! આ તો અમે ગુરુજીની ચિઠ્ઠીના ચાકર, તે ભિક્ષા લઈ જઈએ. બાકી આ માલ તો ગુરુજીનો છે એટલે અમારે તો ગુરુજીનેજ આપવાનું.' મમ્મણ કહે કે ‘ભાઈસાબ ! હું ગુરુજી પાસે ક્યાં આવું ? મેં તો તમને આપેલો છે. માટે મહેરબાની કરીને દઈ ઘો પાછો મારો લાડવો.' મમ્મણને લાડવાનો એવો તો લોભ લાગ્યો છે કે સાધુએ એ લોભના ભયંકર પરિણામ અને દાનના અઢળક લાભ સમજાવ્યા છતાં ન માન્યું ત્યારે સાધુ નીચે બેસી એને વાતમાં રાખી કપડાંની અંદર હાથ ઘાલી લાડવો નીચે ધૂળ-ભેગો ચોળી નાખ્યો, ઊભા થઈ કહે છે કે હવે તમે જાઓ દીધેલા દાનની બહુ અનુમોદના કરો. પુણ્યલાભ ઘણો વધી જશે.' પેલો કહે ‘ના મહારાજ ! મને લાડવો દ્યો' ‘તો જુઓ, આ ઘૂળમાં ભળેલો છે, તમે જાણો.' મમ્મણ લોભની વૃદ્ધિમાં શોક કરતો કરતો પાછો ગયો; દાનથી જબરદસ્ત પુણ્ય ઊભું કરેલું, તેમાંથી ઘણું બાળી નાખ્યું. વધારામાં બાકીના પુષ્યામૃતમાં મોહના ઝેરી કણિયારૂપી પાપાનુબંધ નાખ્યો. પરિણામે બીજા ભવમાં મમ્મણ શેઠ થયો. રતે જડેલા સોનાના બળદિયા જેટલું અઢળક ધન મેળવવા છતાં પેલા પાપાનુબંધથી અત્યંત મમતા રહી ! એને ધન ભેગું કરતાં માલ મફત કે સસ્તો યા વધુ ન મળવા વગેરેનો ભારે શોક થતો; મેળવવાની લોભરતિ રહેતી, અને માત્ર તેલ ને ચોળા ખાવાની ભારે કૃપણતા રહી. ઈત્યાદિ તામસ ભાવથી મરીને સાતમી નરકે ગયો. એવા અનંતા પામરો મરીને સાતમી નરકે ગયા. દાટેલા નિધાન ત્યાંને ત્યાં પડી રહ્યા, અને લોભ-લાભરતિવશ જીવોને અનેક ભવોમાં ભ્રમણ, કપામણ, છૂંદામણ યાવત્ એકેન્દ્રિયકાયમાં અસંખ્ય કે અનંતકાળની કેદ મળી. સમરાદિત્ય ત્રીજાભવના અધિકારમાં અવાંતર કથામાં બાલચંદ્ર પોતાનો ભાઈ ગુણચંદ્ર ભાગ ન લઈ જાય અને સાત લાખ સોનૈયા પોતાને પચે, એ માટે ભાઈને મારી પર્વતના ભાગમાં દાટેલ એ ધન પર ચોકી કરતો હતો. પણ મહાકાય સાપથી મર્યો ! કેટલાય ભવો બાદ ગુણચંદ્ર ત્યાં બાજુના નગરમાં વણિકપુત્ર થઈ તે પર્વત પર પધારેલા તીર્થંકર ભગવાનને વંદન કરવા ગયેલ. ત્યાં પ્રભુને પૂછે છે, ‘ભગવંત! આ શું આશ્ચર્ય કે પર્વત પર ઉગેલ એક નારિયેળીના વૃક્ષનું મૂળ નીચે ઠેઠ તળેટીએ હતું ? શું ત્યાં નિધાન છે ? અને તે કોણે દાઢ્યું ?' ભગવાન કહે છે, ‘હા, ત્યાં નિધાન છે અને તે તે તથા નારિયેળીના જીવે પૂર્વના એક ભવમાં બે ભાઈ બનીને પર્વતના નીચેના ભાગમાં દાટેલ, પણ ભાઈએ તને ધનલોભથી માર્યો. પછીથી વચલા એક ભવમાં એણે જાતિસ્મરણથી ધન જાણી ત્યાંથી ઉઠાવી તળેટીએ દાટ્યું.
SR No.005959
Book TitlePaap Pratighat ane Gun Bijadhan
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Satsang Mandal Saila
PublisherRaj Saubhag Satsang Mandal Saila
Publication Year
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy