________________
પંચસૂત્ર ભૂમિકા
: ૨૧ :
લોભ સર્વ પાપનું મૂળ છે ! સર્વ ગુણોનો નાશક છે ! જીવને આ સંસારમાં અપાર પીડા પમાડનાર છે ! અનંતકાળથી કર્મના ચીંથરેહાલ ગુલામ તરીકે ભટકાવનાર છે ! જીવને નિજના મુક્તિના અનંત આનંદથી તો દૂર શું, પરંતુ અહિ પણ તૃપ્તિ અને અપરિગ્રહ તથા સર્વત્યાગના અપૂર્વ સુખથી દૂર ને દૂર રાખનારો છે. આવી સમજના અભાવે માત્ર જડ જગતની જ એક રટના અને આનંદ હોય છે. એને જ ઉપાદેય માની એ લોભ ન કરનારને ગમાર લેખે છે. તો પરિણામ કેવું ? સુભૂમ ચક્રવર્તી રાજ્ય-લોભની વૃદ્ધિમાં, ચક્રી બ્રહ્મદત્ત અને ત્રિપૃષ્ઠ વાસુદેવ ઈન્દ્રિયવિષયના લોભ-લાભની આસક્તિમાં, મમ્મણશેઠ ધનના લોભની રતિમાં... વગેરે કઈ પામરો મરી મરી સાતમી નરકમાં પટકાઈ ગયા ! મમ્મણનો પ્રસંગ બતાવે છે કે વાતમાં કંઈ માલ નહિ અને લાભ-લોભની ચીકણી રતિ હૃદયમાં કેવીક જામી પડી ! ને કેવી રીતે એ ફાલીફૂલી સાતમી નરકમાં એને ઉતારનારી બની ! ટૂંકો પ્રસંગ આ પ્રમાણે છે -
મમ્મણનું દષ્ટાંત :
મમ્મણ શેઠ પૂર્વ જન્મમાં એક વણિક હતો. એકવાર ઘરે સાધુ આવ્યા. ઘરમાં બીજું કાંઈ દેખ્યું નહિ, પણ કોઈને ત્યાંથી આવેલો સિંહ-કેસરિયો લાડુ જોયો, તે સાધુને વહોરાવી ખુબ ખુશીખુશી થઈ ગયો. સાધુના ગયા બાદ પણ માને છે કે ધન્ય દિવસ કે મુનિને સુંદર દાન દેવાનો લાભ મળ્યો !' એટલામાં પડોશી આવી પૂછે છે કે કેમ ? પેલો લાડુ ખાધો કે? આ કહે “અરે ? એનો તો સુંદર લાભ મળ્યો !' પેલો કહે “અરે, શું મારા ભાઈ ! લાભ તો ઘણા ય લેવાય. આ તો એક ચીજ હતી. લાવો જો એ શેમાં મૂક્યો'તો ? મમ્મણે ભોજન આપ્યું. એમાંથી કણિયા ચોટેલા જોઈ મમ્મણને કહે, “ચાખો આ.” મમ્મણ ચાખીને ચકિત થઈ ગયો “વાહ, આ તો કોઈ અવ્વલ ચીજ છે ! અરે હું ભૂલ્યો. રહો હમણાં જ જઈ લાડવો પાછો લઈ આવું; ગયો. ગામ બહાર નીકળતા મહારાજને બૂમ મારી “મહારાજ ઊભા રહેજો,' મહારાજ કહે “ભાઈ ખપ નથી.” આ કહે “અરે પણ મારે ખપ છે.” મહારાજ સમજ્યા કંઈક બાધા-નિયમ લેવો હશે, તે ઊભા રહ્યા. મમ્મણ કહે બાપજી જરાક ભાઈસાબ ! માફ કરજો તમે ઘેર આવ્યા તે સારું કર્યું. ફરી પણ પધારજો, જોગ હશે તો હું બીજા બહુ લાડવા વહોરાવીશ. પણ હમણાં તો ભાઈસાબ, મને પેલો મારો લાડવો પાછો આપો.' સાધુ કહે “ઓ ભલા માણસ ! દાન કર્યા પછી પાછું ન મંગાય.” “પણ જરાક મને એની તૃષ્ણા જાગી છે. તો ઘો ભાઈસાબ મારો લાડવો.” સાધુ સમજાવે છે અને મહાનુભાવ ! એ તો હવે ચારિત્રનો માલ થઈ ગયો, તે હવે સાધુને દેવાય. ગૃહસ્થને નહિ.” “એ બાપજી ગમે