________________
નકામા સંકલ્પો આધ્યાત્મિક વિકાસમાં અડચણરૂપ બને છે. માટે દરેક સંકલ્પની પાછળ ચોક્કસ ઉદ્દેશ હોવો જોઈએ.
નિષેધાત્મક પાપમય વિચારોથી મનુષ્ય ભયમુક્ત બની શકતો નથી. વૈર્યથી ક્રોધ તેમ જ ચીડિયાપણા પર વિજય મેળવી શકાય છે. પવિત્રતા કામ પર વિજય મેળવે છે. મન એ રોજ તો શું પણ પ્રતિક્ષણ પોતાના રૂપ ને રંગ બદલે છે. ૭. બંધનકારક વિચારો
પોતાની ભેદ ઉત્પન્ન કરવાની વૃત્તિ હોવા છતાં મન આ સંસારને જન્મ આપે છે. મનના સંકલ્પોનું વિષયભોગના પદાર્થો તરફનું વલણ અને વિકાસ એ જ માયાનું બંધન.
સંકલ્પોનો નાશ એ જ મુક્તિ. શરૂઆતમાં મન, શરીર અને વિષયભોગો પ્રત્યે આસક્તિ ઉત્પન્ન કરે છે અને આસક્તિ દ્વારા મનુષ્યને બાંધે છે. આ આસક્તિ રજસના બળને લીધે હોય છે.
સત્ત્વથી આસક્તિનો લય થાય છે, જેથી મનમાં વિવેક અને વૈરાગ્ય ઉદય થાય છે. રજોગુણપ્રધાન મનથી “હું” ને “મારા' ના વિચાર તેમજ શરીર, વર્ણ, જાતિ, રંગ, આશ્રમ વગેરેના ભેદો ઉત્પન્ન થાય છે.
આ સંસારના વિવિધ ઉપભોગો રૂપી જમીનમાં મનના ભેદમય વિકસિત વિચારરૂપી બીજને પોષણ મળતાં તેમાંથી માયારૂપી વિષમય વૃક્ષ ફૂલેફાલે છે. ૮. શુદ્ધ વિચાર દ્વારા થતો અલોક્કિ અનુભવ
વિચાર બે પ્રકારના છે શુદ્ધ અને અશુદ્ધ. સત્કાર્યો કરવાની ઇચ્છા, જપ, ધ્યાન, ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ, વગેરે શુદ્ધ વિચારો છે, ત્યારે સિનેમા જોવાની ઇચ્છા, બીજાને નુકસાન કે ઈજા કરવાની વૃત્તિ, તેમ જ જાતીયવાસના તૃપ્ત કરવાની ઇચ્છા એ અશુદ્ધ વિચારો છે.
શુદ્ધ પવિત્ર વિચારોની વૃદ્ધિ કરી અશુદ્ધ વિચારોનો નાશ કરવો જોઈએ અને છેવટે તો શુદ્ધ વિચારોનો પણ ત્યાગ કરવો જોઈએ.
ઇન્દ્રિયોના વિષયભોગના વારંવાર આવર્તનથી તે વિષયના સંકલ્પોનું બળ વધતું જાય છે. કેમકે હરેક વિષયભોગ મન પર સૂક્ષ્મ છાપ કે સંસ્કાર મૂકી જાય છે.