________________
આવર્તન અને તેના રહેવાના સમયનો ગાળો પણ ઓછો થશે. દર મિનિટે ઉદ્દભવતા સંકલ્પોની સંખ્યા પણ ઓછી થશે.
હંમેશા યાદ રાખો કે જેમ સંકલ્પો થોડા તેમ શાંતિ વધારે. કોઈ મોટા શહેરમાં સટ્ટામાં રચ્યાપચ્યા રહેતા શાહુકારનું મન સમૃદ્ધિ ભોગવવા છતાં અસ્થિર ને ચંચળ હોય છે. ત્યારે મનોનિયંત્રણની સાધના કરતો હિમાલયની ગુફાની અંદર રહેતો સાધુ ગરીબાઈમાં રહેવા છતાં તે ખૂબ સુખી હોય છે.
જેમ સંકલ્પો-વિચારો-ઓછા તેમ માનસિક બળ અને એકાગ્રતા વધારે. ધારો કે એક કલાકમાં તમારા મનમાં સામાન્ય રીતે સરેરાશ ૧૦૦ સંકલ્પો ઉદ્દભવે છે. જો તમે તેને એકાગ્રતા ને ધ્યાનની યોગસાધના દ્વારા ઓછા કરી ૯૦ સુધી લઈ જાઓ તો તેનો અર્થ એ થયો કે તમે મનની ૧૦ ટકા એકાગ્રતાશક્તિ મેળવી છે.
ઓછા કરેલા સંકલ્પ મનની શક્તિ અને શાંતિમાં વધારો કરે છે. એક સંકલ્પ ઓછો થતાં જ માનસિક બળ ને શાંતિમાં વધારો થવાનો જ. શરૂઆતમાં તમને આનો ખ્યાલ પણ નહિ આવે, કારણ કે તમારી બુદ્ધિ એટલી સૂક્ષ્મ નથી. પણ અંદરના આધ્યાત્મિક મિટર દ્વારા એક પણ સંકલ્પનો ઘટાડો માપી શકાય છે. જો તમે એક સંકલ્પને ઓછો કરી શકશો તો મનને એટલું આધ્યાત્મિક બળ પ્રાપ્ત થશે કે જેથી કરીને તમે બીજા સંકલ્પોને સહેલાઈથી ઓછા કરી શકશો. ૬. વિચાર, શક્તિ અને પવિત્ર વિચારો
ઈથર કે શક્તિ કરતાં પણ સંકલ્પનું સ્વરૂપ વધારે સૂક્ષ્મ છે. આથી જ તમારા સંકલ્પો વિશ્વના સમૂહગત સંકલ્પોની સાથે સંવાદી હોય છે.
સંકલ્પ એ શક્તિ અને ગતિ બને છે. સંકલ્પ ક્રિયાશીલ છે અને તેને ગતિ હોય છે. તે ભવિષ્યને નક્કી કરે છે. જેવા તમારા વિચાર તેવું જ તમારું ભવિષ્ય. સંકલ્પ જ સંત અને પાપી સર્જે છે. સંકલ્પ જ મનુષ્યને ઘડે છે. “હું બ્રહ્મ છું.” એવો સંકલ્પ ગતિમાન કરો અને જરૂર તમે બ્રહ્મ જ થવાના.
એક પવિત્ર વિચાર બીજા અનેક પવિત્ર વિચારોને ઉત્પન્ન કરે છે અને ટકાવી રાખે છે. ત્યારે તિરસ્કાર ને વેરઝેરના વિચારો હૃદયના આંતરિક સુમેળમાં ખલેલ પહોંચાડે છે. દરેક નકામો સંકલ્પ શક્તિનો ક્ષય કરે છે.