SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પણ વિચાર કરી શકો છો. સાથે સાથે બીજી જાતનાં ફૂલોનો પણ મનમાં વિચાર આવી શકે. પણ ફળ ને શાકભાજીના વિચારને મનમાં સ્થાન આપવું ન જોઈએ. મનના ધ્યેયહીન અનિયંત્રિત રખડપાટને કાબૂમાં રાખો. ગુલાબનો વિચાર કરતી વખતે બીજા સંકલ્પો બંધ કરી દો. આથી ધીમે ધીમે તમે મનને એક જ સંકલ્પ પર સ્થિર કરી શકશો. આમ, મનને રોજ નિયમિત રીતે શિસ્તબદ્ધ કરવું પડશે. સંકલ્પ પર વિજય મેળવવા માટે કાયમને માટે સતત નિરીક્ષણની અનિવાર્ય જરૂર છે. ૧૬. સંકલ્પો પર ચોકીપહેરો મૂકી તેમને આધ્યાત્મિક બનાવો તમારા સંકલ્પોનું સાવધાનીપૂર્વક નિરીક્ષણ કરો. તેમને સંયમમાં રાખો. તમારા સંકલ્પોના સાક્ષી બનો. તેમનાથી પર જઈ સંકલ્પીન, શુદ્ધ સચ્ચિદાનંદઘન સ્થિતિમાં રમણ કરો. આંતરમનના ઊંડાણમાં પડેલા સૂક્ષ્મ સંસ્કારો, માનસિક વલણો, ઇચ્છાઓ અને ઊર્મિઓની તમારા જાગૃત જીવન પર અગાધ અસર હોય છે. તેમને શુદ્ધ કરી રૂપાંતર દ્વારા દિવ્ય બનાવવા જોઈએ ને તેમને આધ્યાત્મિક વલણ આપવું જોઈએ. જે જે શુભ ને મંગળ હોય તે જ સાંભળો, તે જ જુઓ તેનો જ વિચાર કરો, તેના સંબંધી વાતચીત કરો, તેનું જ ધ્યાન ધરો. તેને જ સમજવાનો ને જાણવાનો પ્રયાસ કરવો. | ભય, તીવ્ર દ્વેષ, છૂપો તિરસ્કાર, ધૃણા, તિરસ્કાર ક્રોધ, કામ વગેરે આંતરમનની પ્રવૃત્તિને દૂષિત કરે છે. સદ્ગુણો કેળવો; આંતરમનને શુદ્ધ ને બળવાન બનાવો. ઇચ્છા, વાસના, લોભ વગેરે દુર્ગુણો મનને ગુલામ બનાવી કલુષિત કરે છે, માટે તેનાથી મનને મુક્ત કરી, તેના સ્ફટિક જેવા શુદ્ધ સ્વરૂપમાં તેને સ્થિત કરવું જોઈએ. જેથી કરીને તે સત્યને ગ્રહણ કરવાને, ધ્યાનને અમલમાં મૂકવા લાયક બને. મનની હલકી ફુરણાઓ ભૌતિક શરીર ને માનસિક સ્તરને આભારી છે. વાસના (માનસિક સંસ્કાર ને સૂક્ષ્મ ઇચ્છાઓ) ના નાશથી જ્યારે મન કાર્ય કરવાને અશક્ત બને ત્યારે મનોનાશ કે મોક્ષની સ્થિતિ પ્રાપ્ત થાય છે. –%99
SR No.005958
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swam
PublisherSwami Shivanand Gyanyagna Nidhi
Publication Year2012
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy