________________
જીવનના મહાસાગર એવા હિરણ્યગર્ભ પ્રભુ ધીમે ધીમે તમને પોતાની વિશાળ છાતી પર લાડ લડાવી રહ્યા છે. ત્યાર બાદ તમારી આંખ ઉઘાડો આથી તમને ખૂબ જ શાંતિ ને બળની પ્રાપ્તિ થશે. આનો અનુભવ કરી દિવ્ય આનંદ માણો ! ૧૨. દુષ્ટ સંકલ્પોને સર્પની ઉપમા
જેવી રીતે બીજમાંથી ફળ થાય છે. તેવી જ રીતે સંકલ્પમાંથી કર્મ ઉત્પન્ન થાય છે. સારા સંકલ્પો સારા કાર્યોને ઉત્પન્ન કરે છે ને દુષ્ટ સંકલ્પોમાંથી ખરાબ કાર્યો ઉત્પન્ન થાય છે.
શુભ સંકલ્પોને જ મનમાં આશ્રય આપો ને દુષ્ટ વિચારોને હાંકી કાઢો. જો સત્સંગ, ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ, પ્રાર્થના, ઇત્યાદિ દ્વારા તમે શું વિચારોને કેળવશો તો અશુભ વિચારો પોતાની મેળે નષ્ટ થશે.
જેવી રીતે જોડામાં ખૂંચતી કાંકરીને તમે એકદમ બહાર કાઢી ફેંકી દો છો, તેવી જ રીતે કષ્ટદાયક વિચારને એકદમ મનમાંથી બહાર કાઢી નાખવાની તમારામાં શક્તિ હોવી જોઈએ. ત્યારે જ તમારામાં મન પર વિજય મેળવવાની પૂરતી શક્તિ આવી છે અને આધ્યાત્મિક માર્ગે તમે અમુક અંશે સાચી પ્રગતિ સાધી છે એમ ગણાશે.
જ્યારે તમે લાકડી વડે સર્પના માથા પર ફટકો મારી તેનું માથું છુંદી નાખો છો, ત્યારે તે અમુક વખત સુધી તદ્દન નિષ્ક્રિય પડી રહે છે. તમને એમ લાગે છે કે મરી ગયો છે. પણ એકાએક તે પોતાનું માથું ઊંચું કરે છે ને દોડી જાય છે. એવી જ રીતે, જે સંકલ્પોને તમે પહેલાં દબાયેલા કે નાશ પામેલા માનો છો તે જ સંકલ્પો પુનર્જીવન પામી શક્તિ મેળવે છે અને માથું ઊંચું કરે છે. માટે જ તેઓ ફરીથી સક્રિય ન થાય માટે તેમનો સંપૂર્ણ નાશ કરવો જોઈએ. ૧૩. વિચાર-વિજય દ્વારા જગત-વિજય | વિચારો પર હંમેશાં નિયંત્રણ રાખો. મિથ્યા કલ્પના કે સ્વપ્રસૃષ્ટિથી દૂર રહો. આથી મનોનાશ થશે. સંકલ્પોનો પૂરેપૂરો નાશ થાય એ જ મોક્ષ કે મુક્તિ છે. જ્યારે વિચારસૃષ્ટિનો અંત આવે ત્યારે મનનો પણ નાશ થાય છે.
આ માયામય સંસારનો અનુભવ પણ તમારી કલ્પનાને જ આધીન છે. જ્યારે કલ્પના સૃષ્ટિ પૂરેપૂરી રીતે નાશ પામે છે ત્યારે સંસાર પણ નાશ પામે છે.