________________
મનને સદા કામમાં રત રાખો. આથી પાપમય વિચારો અંદર દાખલ થઈ શકશે નહિ. આળસુ મન એ સેતાનનું કારખાનું છે. દરેક ક્ષણે મન પર ચોકી બેસાડો.
હંમેશાં તમારી જાતને કોઈ ને કોઈ કાર્યમાં લીન રાખો.
જેમકે સીવવું, વાસણ માંજવાં, ઝાડું કાઢવું, પાણી ભરવું, વાંચવું, ધ્યાન ધરવું, માળા ફેરવવી, ભજન ગાવાં, પ્રાર્થના કરવી, વડીલો કે ગુરુઓની સેવા કરવી, માંદાની ચાકરી કરવી વગેરે. અસંબદ્ધ વાતચીત કે ગપ્પાંથી દૂર રહો. મનને હંમેશાં ગીતા, ઉપનિષદ, યોગવાસિષ્ઠ, વગેરેના ઉદાત્ત વિચારોથી ભરો. ૧૧. વિચારોની નિયમિત શિસ્ત
મન એ તોફાની ભૂતડા જેવું છે. તે કૂદકા મારતા વાંદરા જેવું છે. તેને દરરોજ શિસ્તમાં રાખવાની જરૂર છે. આથી જ તે ધીમે ધીમે વશ થઈ શકે.
તમારા મનને રોજ ક્રિયાત્મક ક્વાયત આપવામાં આવે તો જ તેમાં પ્રવેશ કરતા ખરાબ સંકલ્પોને અટકાવી શકાય, ને જે સંકલ્પો કે ક્રિયાઓનું જોર જામ્યું ન હોય તેને ઇચ્છા પ્રમાણે ફેરવી શકાય.
મનને નિયમિત રીતે શિસ્તમાં રાખી ક્વાયત આપવાથી જ તમે સારા સંકલ્પો ને ક્રિયાઓને ઉત્તેજિત કરી શકશો અને એક વખત ઉત્પન્ન થયા બાદ તેમને લાંબા સમય સુધી રાખી શકશો.
માનસિક આરામ-વિશ્રાંતિ માટે નીચે પ્રમાણે રોજ કરવા લાયક એક સુંદર કવાયત છે. તેનાથી તમારામાં ખૂબ પ્રેરણા ને શક્તિ ઉત્પન્ન થશે. આંખો બંધ કરો. જે તમને ગમતી વસ્તુ હોય તેનું ચિંતન કરો. આ તમારા મનને અભુત રીતે શાંત કરશે. ભવ્ય હિમાલય, પવિત્ર ગંગા, કાશ્મીરનાં સુંદર પ્રકૃતિ દશ્યો, તાજમહાલ, કલકત્તાનું વિક્ટોરિયા મેમોરિયલ, આકર્ષક સૂર્યાસ્ત, વિશાળ મહાસાગરનો પટ અથવા અનંત આકાશનું ચિંતન કરો.
એવી કલ્પના કરો કે આખું જગત અને તમારું શરીર બ્રહ્મરૂપી અનંત મહાસાગરમાં તણખલા માફક તરી રહ્યાં છે. એવો અનુભવી કરો કે તમે પરમાત્માનો પાવન રોમાંચ કે સ્પર્શ અનુભવી રહ્યા છો ને આખા સંસારમાં તેમ જ તમારામાં પણ દિવ્ય જીવનના ધબકારા વહી રહ્યા છે. વળી,