________________
જેવી રીતે યોદ્ધો કિલ્લાની ચોરબારીમાંથી બહાર ડોકાતા દુશ્મનોનાં માથાને એક એક કરીને કાપી નાખે છે, તેવી જ રીતે મનના ઊંડાણમાંથી જેમ જેમ વિચાર બહાર સપાટી પર આવતા જાય તેમ તેમ તેનો નાશ કરો.
જ્યારે ગરોળીની પૂંછડી કાપી નાખવામાં આવે છે, ત્યારે કપાયેલો છેડો થોડી વાર તરફડાટ કરે છે. કારણ કે હજી પૂંછડીમાં થોડો પ્રાણ અવશેષ હોય છે. એક કે બે મિનિટ પછી ગતિ બંધ પડી જાય છે. એવી જ રીતે વિચારોને ઓછા કરી નાખ્યા બાદ થોડાક વિચારો ગરોળીની પૂંછડીની માફક ચંચળતા બતાવશે; પણ તેઓ શક્તિહીન હોવાથી તેમાં ચેતન હોતું નથી. આથી તેઓ ગંભીર નુકસાન કરી શકતા નથી.
જેવી રીતે ડૂબતો માણસ પોતાને બચાવવા ધમપછાડા કરે છે, તેવી રીતે આ ચેતનહીન વિચારો પોતાની અગાઉની શક્તિ ને ચેતન પ્રાપ્ત કરવા માટે ખૂબ પ્રયાસ કરે છે. પણ જો તમે નિયમિત રીતે તમારી ધારણા ને ધ્યાનનો અભ્યાસ ચાલુ રાખો તો તેઓ ઘી વિનાની દીવાની વાટની જેમ પોતાની મેળે જ નાશ પામશે.
રાગ, અહંભાવ, ઈર્ષા, અભિમાન ને દ્વેષનાં મૂળ ઘણાં ઊંડાં ગયાં હોય છે. જો તમે વૃક્ષની ડાળીઓ કાપી નાખો તો થોડા સમય બાદ ફરીથી ફૂટશે. તેવી જ રીતે, જે વિચારો થોડા સમય માટે દબાઈ જાય છે કે ઓછા થાય છે તે ફરીથી ફૂટી નીકળે છે. માટે જ તેમને નિર્મૂળ કરવા માટે પ્રખર પ્રયાસ કરવો પડે છે અને મનન, ધ્યાન, વગેરે સાધનો સતત કરવાં પડે છે. ૫. નેપોલિયનની પદ્ધતિ દ્વારા વિચારો પર વિજય
જ્યારે તમે કોઈ એક વિષય પર વિચાર કરતાં હો ત્યારે બીજા વિચારોને મનમાં પ્રવેશ કરવા દો નહિ. દાખલા તરીકે, જ્યારે તમે ગુલાબના ફૂલનો જ વિચાર કરતા હો ત્યારે માત્ર વિવિધ પ્રકારનાં ગુલાબનાં ફૂલનો જ વિચાર કરો. બીજા કોઈ પણ વિચારને મનમાં પ્રવેશ કરવા દો નહિ.
જ્યારે તમે દયાનો વિચાર કરો ત્યારે માત્ર દયાના વિચારને જ મનમાં પ્રવેશ કરવા દો; ત્યારે ક્ષમા કે ઉદારતાનો વિચાર કરો નહિ. જ્યારે તમે ગીતાનો અભ્યાસ કરતા હો ત્યારે ચા કે ક્રિકેટ મૅચનો વિચાર કરો નહિ. તમારા વિષયમાં આવી રીતે સંપૂર્ણપણે લીન થઈ જાઓ.
નેપોલિયન નીચેની પદ્ધતિથી પોતાના વિચારો પર સંયમ રાખતો. તે કહે છે : “જ્યારે મારે સુંદર આકર્ષક વિષય પર વિચાર કરવાની ઇચ્છા
૬૨