________________
વિચારો, નોકરી ધંધાના વિચારો, ઑફિસના વિચારો, શરીર સંબંધી કે અન્નપાણીના વિચારો, આશા ને આકાંક્ષા, પૈસા મેળવવાની યોજના, વેરતૃપ્તિ, સ્નાન વગેરે વિચારોથી સામાન્ય રીતે મન ભરેલું હોય છે.
તમે બપોરે સાડા ત્રણ વાગે કોઈ રસદાયક પુસ્તક વાંચવાનો આનંદ માણી રહ્યા હોય ત્યારે ચાર વાગ્યે થતી ક્રિકેટ મેચ જોવામાં આવતી મઝાના વિચારો અવારનવાર તમારા વાંચનમાં ખલેલ પાડશે. માત્ર એકાગ્ર મનવાળો યોગી જ એકી સાથે એક જ વિચાર પોતાની ઇચ્છાનુસાર ગમે તેટલો લાંબો સમય રાખી શકે.
જો તમે તમારા મનનું નિરીક્ષણ કરશો તો જણાશે કે ઘણા વિચારો મેળમાં હોતા નથી. મન કંઈ પણ ઉદ્દેશ વિના રખડ્યા કરે છે. શરીર ને તેની જરૂરિયાતો, મિત્રો, દ્રવ્યપ્રાપ્તિ, ખાનપાન, તમારી બાલ્યાવસ્થા, વગેરે સંબંધી વિચારો ખબર ન પડે એવી રીતે આવ્યા જ કરે છે.
જો તમે મનનો અભ્યાસ કરો અને એક જ જાતના વ્યવસ્થિત વિચારો મનમાં રાખી બીજા બધા વિચારોને દૂર હાંકી શકો તો પણ આ એક વિચાર સંયમની મહાન સિદ્ધિ છે. કદી નિરાશ ન થાઓ. ૧૧. પ્રેરણાત્મક વિચારોને સંગ્રહી રાખો
જીવનનું ધ્યેય દિવ્યતાની પ્રાપ્તિ છે. તમે આ નશ્વર દેહ નથી, તેમ જ પરિવર્તનશીલ ચંચળ મન પણ નથી, પણ નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત આત્મા છો એવો સાક્ષાત્કાર થવો, એ જ જીવનધ્યેય છે.
“અજો નિત્યઃ શાશ્વતોડયું પુરાણો-આ પુરાણો આત્મા અજન્મા, નિત્ય ને શાશ્વત છે” આ પ્રેરણાત્મક વિચારોને હંમેશાં યાદ રાખો. આ જ તમારું સત્ય સ્વરૂપ છે. નામરૂપાત્મક આ નાનું ક્ષણિક શરીર એ તમે નથી. તમે રામસ્વામી કે મુકરજી, મહેતા કે મેથ્ય, ગઢે કે આટે નથી. અજ્ઞાનના ક્ષણિક આભાસથી અકસ્માત તમે આ ભ્રમમાં પડેલા . જાગૃત થાઓ અને તમે શુદ્ધ આત્મા છો એવું સત્ય જ્ઞાન મેળવો. - ઉપનિષદમાં જણાવેલું બીજું અદૂભુત પ્રેરણાદાયક સૂત્ર આ રહ્યું “ઈશાવાસ્યમિદ સર્વમ્” વિશ્વમાં જે કંઈ છે તે બધું ઈશ્વરની શક્તિથી ચેતન બન્યું છે. ફૂલ ને લીલા ઘાસ સાથે હસો, છોડ, ઘાસ ને ઝાડની ડાળીઓ સાથે હસો; તમારા બધા પાડોશી, કૂતરાં, બિલાડી, ગાય, મનુષ્યો, વૃક્ષો,