________________
અરે, કુદરતની બધી વસ્તુઓ સાથે મૈત્રી બાંધો. આથી તમારું જીવન સંપૂર્ણ ને સમૃદ્ધ બનશે. ૧૨. ભવ્ય પ્રેરણાદાયક વિચારોનું મનન કરો.
જો તમારે સંકલ્પશક્તિ વિકસિત કરવી હોય, જો તમારું વ્યક્તિત્વ ઘડવું હોય ને મહાન બનવું હોય તો પ્રેરણાદાયક ભવ્ય વિચારોવાળા કેટલાંક પુસ્તકો હંમેશાં તમારી સાથે રાખો ને તમારા દૈનિક જીવનમાં વણાઈ જાય ત્યાં સુધી તેમનું વારંવાર મનન કરો.
અહીં નીચે મનન માટે અમુક ભવ્ય વિચારો આપ્યા છે : (૧) શુદ્ધ અંતરાત્માથી હૃદય તેમજ મન બંને બળવાન હોય છે. (૨) ગરીબાઈ એ પ્રમાદનો મોટો ભાઈ છે.
(૩) આત્માનું જ્ઞાન એ જ સૌથી મોટો ખજાનો છે. ધ્યાન એ આત્મજ્ઞાનની કૂંચી છે. ૧૩. હાનિકારક વિચારોને બદલે સાચા હિતકારક વિચારો
કામ ને વિષયના વિચારોને દૂર કરવા માટે ખંતપૂર્વક બ્રહ્મચર્યનો અભ્યાસ કરો, સત્યના સાક્ષાત્કાર માટે કે ઈશ્વરદર્શન માટે તીવ્ર ઇચ્છા રાખો અને પવિત્રતાના અનેક ફાયદાઓનું મનન કરો.
તિરસ્કાર ને ક્રોધના વિચારોને પ્રેમ, ક્ષમા, દયા, મૈત્રી, શાંતિ, ધૈર્ય ને અહિંસાના વિચારોથી સંયમમાં રાખવા જોઈએ.
અભિમાન ને હુંપદના વિચારોને નિયમિત રીતે નમ્રતા ને વિનયના અભ્યાસથી થતા ફાયદાઓનું મનન કરીને કાબૂમાં રાખી શકાય.
લોભ, પારકું પચાવી પાડવાની વૃત્તિ, પરિગ્રહ વગેરેના વિચારોને પ્રમાણિક્તા, નિઃસ્વાર્થતા, ઔદાર્ય, સંતોષ ને સ્વાર્થત્યાગના વિચારોથી હાંકી કાઢવા જોઈએ.
હૃદયની મહાનુભાવતા ને ઉદારતા, ભવ્યતા ને વિશાળતા તમને સંકુચિતતા, ઈર્ષાને અધમ સ્વાર્થના બધા વિચારોથી મુક્ત કરશે. - વિવેકશક્તિના વિકાસ દ્વારા ભ્રમ ને મોહ સહેલાઈથી જીતી શકાય છે. સર્વોતોમુખી સાદાઈથી મિથ્યાભિમાન અને વિનયથી અભિમાન દૂર કરી શકાય છે.