________________
શરીરના સ્નાયુઓની તંગ સ્થિતિને દૂર કરીને તેમને ઢીલા કરવાથી મનને પણ આરામ ને શાંતિ મળે છે. સાથે સાથે શ્રમિત જ્ઞાનતંતુઓને તેમજ થાકેલા સ્નાયુઓને તાજગી મળે છે. આથી સંપૂર્ણ શાંતિ ને બળ પ્રાપ્ત થાય છે. જ્યારે તમે શરીર તથા મનને આરામ આપતા હો ત્યારે વિવિધ પ્રકારના બહારના રેઢિયાળ વિચારોને મનમાં ઘૂસવા દેવા ન જોઈએ. ક્રોધ, નિરાશા, નિષ્ફળતા, દુઃખ, દિલગીરી, બેચેની, કજિયા, વગેરેથી મનને શ્રમ પડે છે. માટે તેને દૂર હાંકી કાઢો. ૯. અંત:પ્રેરિત વિચારોનું ઊર્ધ્વીકરણ
વિચાર ચાર પ્રકારના છે : પ્રતીકને આધારે ઉત્પન્ન થતા વિચારો, અંત:પ્રેરણાથી થતા વિચારો, ઊર્મિવશ થતા આવતા વિચારો અને બાહ્ય વહેવારના રોજના વિચારો. | શબ્દોના આધારે ઉત્પન્ન થતા વિચારો પ્રતીકાત્મક છે. અંતઃ પ્રેરણા ઊર્મિઓના ઊભરા કરતાં વધારે શક્તિશાળી છે. શરીર, ખોરાક, પાણી, સ્નાન વગેરે રોજના કાર્ય સંબંધી વિચારો વહેવારિક વિચારો છે.
પ્રતીકાત્મક વિચારોને તમે સહેલાઈથી અટકાવી શકો, પણ અંત:પ્રેરણાજન્ય તેમજ ઊર્મિજન્ય વિચારો અટકાવવા મુશ્કેલ છે.
ચિંતા ને ગુસ્સાને તિલાંજલિ આપવાથી જ માનસિક સ્વસ્થતા ને શાંતિ પ્રાપ્ત કરી શકાય. ચિંતા અને ગુસ્સાના મૂળમાં તો ખરેખર ભય જ રહેલો છે. માટે બહુ જ સાવચેત રહો ને વિવેકશક્તિ જાગૃત રાખો. દરેક બિનજરૂરી ચિંતાનો ત્યાગ કરો. માત્ર ઉત્સાહ, હિંમત, આનંદ, શાંતિ ને ઉલ્લાસનો જ આરામદાયક સ્થિતિમાં પંદર મિનિટ મન શરીરને તદન - ઢીલાં કરીને બેસો.
આરામ ખુરશીમાં આરામથી પડવાથી પણ આ કામ સાધી શકાય. આંખો બંધ કરો. બાહ્ય વસ્તુઓ પરથી તમારા મનને ખસેડી લો. મનને સ્વસ્થ કરો. ફૂટી નીકળતા વિચારો શાંત કરો. ૧૦. ચીલાચાલુ વિચારોનું પ્રમાણ ઓછું કરો.
સામાન્ય રીતે જેઓને વિચાર પર સંયમ નથી તેવા માણસોના મનમાં એકી સાથે ચાર કે પાંચ પ્રકારના વિચારો ડોકિયાં કરતાં જણાશે. ઘરના