SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ બધા વિષયભોગોમાંથી પોતાના ચિત્તને વાળીને શાશ્વત ને સનાતન તત્ત્વ બ્રહ્મના ચિંતનમાં જ પોતાની સર્વ શક્તિ લગાવે છે.” જેઓએ બધી વાસના અને વિષયભોગ સંબંધી સર્વ વિચારોનો નાશ કર્યો છે, તેઓ જ સુખ, શાંતિ, સમતાપૂર્ણ સનાતન બ્રહ્મમાં જ શાશ્વત આનંદ માણે છે. તેઓએ સમદષ્ટિ પ્રાપ્ત કરી હોય છે. ભેદદષ્ટિ ને દ્વન્દથી પર જઈને તેઓએ આધ્યાત્મિક ખજાનો પ્રાપ્ત કર્યો હોય છે. આફતના પડીકા સમાન આ મનનો નાશ કરો. આ તોફાની અને શક્તિશાળી મન જ બધા રાગદ્વેષ, ભય ને દુઃખ ઉત્પન્ન કરે છે. જ્યારે દશ્ય અને દર્શન બંને સાથે મળી દ્રષ્ટામાં લીન થઈ જાય ત્યારે પરમાનંદનો અનુભવ થાય છે. તે તુરીયા સ્થિતિ નામે ઓળખાય છે. ત્યારે જ અપાર જ્ઞાનરૂપી આત્માનું સર્વત્ર દર્શન થાય છે, અને સર્વ પ્રકારના ભેદભાવ અને દ્વન્દ્રો મૂળમાંથી નાશ પામે છે. આકર્ષણ અને અપાકર્ષણના વિચારો, અમુક વસ્તુ ગમતી છે અને અમુક અણગમતી છે તેના વિચારો, તથા રાગ-દ્વેષ તદ્દન નાશ પામી જાય છે. આવી સ્થિતિમાં યોગી શરીરમાં રહેવા છતાં શરીરનું ભાન પણ ભૂલી જાય છે. કોઈ સ્ત્રી પોતાને ઘેર બધું જ ગૃહકાર્ય કરતી હોવા છતાં તેનું મન તો દૂર અંતરે રહેલા તેના પ્રીતમમાં લાગેલું હોય છે તેમ યોગી જગતની મોહ-માયા વચ્ચે પણ મન પરનો કાબૂ ગુમાવશે નહિ અને પોતાના મનને બ્રહ્મ પર જ કેન્દ્રિત રાખશે. ભવિષ્યમાં દુનિયાની વસ્તુ મેળવવાની કોઈ પણ ચિંતા કર્યા વિના તમારું મન સર્વદા સત્કાર્યો કરવામાં જ લીન રાખો કે જેથી તમને જ્ઞાનપ્રાપ્તિ સુલભ થાય ! પૂર્ણ સાક્ષાત્કાર દ્વારા દ્વન્દ, ભેદભાવ, મતમતાંતર, સર્વનો નાશ કરી બ્રહ્મના સચ્ચિદાનંદમય દિવ્ય પ્રકાશમાં લીન થઈ કૃતાર્થ બનો ! ૮. શુદ્ધ વિચારો પર વિજય મેળવો શુદ્ર, હલકા ને અસંબદ્ધ વિચારોને મનમાંથી હાંકી કાઢવાનો પ્રયાસ કરો નહિ, કેમકે જેમ જેમ આ બાબતમાં વધારે પ્રયત્નશીલ બનશો તેમ તેમ તે વધારે પ્રમાણમાં હુમલો કરશે ને ઊલટા બળવાન બનશે. આથી તમારી શક્તિ અને મનોબળનો નકામો દુર્વ્યય થશે. મનને દિવ્ય વિચારોથી ભરો. બીજા વિચારો પ્રત્યે બેપરવા બનો. આથી તેઓ ધીમે ધીમે અદશ્ય થઈ જશે. સતત ધ્યાન દ્વારા નિર્વિકલ્પ સમાધિમાં આરૂઢ થાઓ.
SR No.005958
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swam
PublisherSwami Shivanand Gyanyagna Nidhi
Publication Year2012
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy