________________
૬. વિવિધ પ્રકારના વિચારો ને તેમના પર વિજય
૧. નિરાશાવાદી વિચારોને દૂર કરો
તમારા બધા વિચારોનું બહુ જ ચીવટપૂર્વક નિરીક્ષણ કરો. ધારો કે તમારા મનમાં ગમગીન વિચારો દાખલ થઈ ગયા હોય તો તરત જ બેચેની થવા માંડશે. ત્યારે દૂધ કે ચાનો પ્યાલો લઈ લો. આંખો બંધ કરી સ્વસ્થતાથી બેસી ગમગીનીનું કારણ શોધી કાઢો ને તેને દૂર કરવાનો પ્રયાસ કરો.
નિરાશાજનક વિચારો અને તેને પરિણામે ઉત્પન્ન થતી ગમગીનીને દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય પ્રેરણાત્મક વિચારો અને આનંદદાયક વસ્તુઓનો વિચાર કરવાનો છે. ફરીથી યાદ રાખો કે, પ્રકાશ હંમેશાં અંધારાનો નાશ કરે છે. આ કુદરતનો ભવ્ય ને અસરકારક કાયદો છે.
માટે જ અંધકાર કે નિરાશાના પ્રતિપક્ષી વિચારોને જ મનમાં સ્થાન આપો. જે વિચારો તમારા મનને ઉન્નત કરે તેને જ સેવો. હંમેશાં આનંદી બનો. આનંદી સ્વભાવના ફાયદા વિચારો. આનંદ એ તમારો સ્વભાવ જ બની જવો જોઈએ.
‘ૐૐ આનંદ” આ સૂત્રનું વારંવાર મનમાં રટણ કરો. ‘“હું આનંદમય છું” એમ અંતરમાં તમને ભાન થવું જોઈએ. વચ્ચે વચ્ચે આ ભાનમાં લીન થઈ હસો.
ગાવાથી પણ કોઈ વાર તમે એકાએક ઊચ્ચ ભવ્ય પ્રદેશમાં ખેંચાઈ જશો. અંધકારમય નિરાશાને દૂ૨ ક૨વાને માટે સંગીત ખૂબ જ ઉપયોગી છે. ખુલ્લી હવામાં દોડો. આથી ગમગીની એકદમ ઊડી જશે. રાજયોગીઓની આ પ્રતિપક્ષી ભાવના કરવાની પદ્ધતિ બહુ સરળ અને સહેલી છે.
૪૭