________________
૪. તીવ્ર ઇચ્છા દ્વારા વધતું સંકલ્પબળા
જેમ જેમ વિષયવાસનાનો ત્યાગ કરવામાં આવે, જેમ જેમ પ્રલોભનની સામે થવામાં આવે, જેમ જેમ કામ, ક્રોધની વાણી પર સંયમ રાખવામાં આવશે, જેમ જેમ ઉદાત્ત ભાવનાઓનું પોષણ કરવામાં આવશે તેમ તેમ તમારી ઇચ્છાશક્તિ અને આત્મશક્તિ વિકાસ પામતાં જશે અને તમે તમારા ધ્યેયની વધારે નજીક પહોંચશો.
માટે તીવ્ર ઇચ્છાને લાગણીપૂર્વક માનસિક રીતે રટણ કરો કે મારી ઇચ્છાશક્તિ અત્યંત પ્રબળ, શુદ્ધ અને અદમ્ય બને. મું, ઓમ, ઓમ, મારી ઇચ્છાશક્તિથી હું ગમે તે કરવાને સમર્થ છું. ઓમ્ ઓમ્ ઓમ્, મારી ઇચ્છાશક્તિ અજેય છે. ઓમ્ ઓમ્ ઓમ્ શુદ્ધ સકંલ્પ જ શક્તિશાળી આધ્યાત્મિક બળ છે. જ્યારે તે કાર્ય કરવા માંડે ત્યારે બધી માનસિક શક્તિઓ જેમ કે સારાસારશક્તિ, વિવેક શક્તિ, યાદશક્તિ, ગ્રહણશક્તિ, વાતચીત કરવાની શક્તિ, તર્કશક્તિ – આ બધી શક્તિઓ એકદમ તીવ્ર બને છે.
ઇચ્છા કે સંકલ્પ એ જ સર્વ માનસિક શક્તિઓનો સ્રોત છે, જ્યારે તેને શુદ્ધ અને શક્તિશાળી બનાવવામાં આવે ત્યારે વિચાર ને સંકલ્પ દ્વારા અદ્ભુત કાર્યો થઈ શકે. અશ્લીલ વિકારો, મોજશોખ ને વાસના, ઇચ્છાઓની ગુલામી, વગેરેથી સંકલ્પશક્તિ કુંઠિત થઈ જાય છે. જ્યારે વિર્યશક્તિ, સ્નાયુબળ, ક્રોધ વગેરેનું સંકલ્પશક્તિમાં રૂપાંતર થાય ત્યારે તેઓને સહેલાઈથી કાબૂમાં રાખી શકાય છે. પ્રબળ ઇચ્છાશક્તિવાળા માણસને માટે આ દુનિયામાં કંઈ પણ અસંભવિત નથી.
તમે કૉફી પીવાનું જૂનું વ્યસન હોય તે તમે છોડી દો તો તે બતાવે છે કે તમે અમુક અંશે સ્વાદેન્દ્રિય પર વિજય મેળવ્યો છે. એક વાસનાનો નાશ કર્યો છે અને તે પ્રત્યેની તમારી દોડ ઓછી કરી છે. આ ઉપરાંત, હવે તમારે કૉફી મેળવવા માટે પ્રયાસ કરવા પડશે નહિ. અને તમે તેની ટેવમાંથી પણ મુક્ત થયા છો તેથી થોડે અંશે શાંતિ પણ મળશે. આથી તમારી જે શક્તિ આજ સુધી કૉફી મેળવવાની ચિંતા ને ધમાલમાં ખરચાતી હતી અને તમારા મનને અશાંત કરતી હતી તેનું હવે રૂપાંતર થઈ ઇચ્છાશક્તિ બની જશે. આમ, એક ઇચ્છા પર વિજય મળતાં તમારું સંકલ્પબળ વધી જશે, અને જો આવી પંદર ઈચ્છાઓ પર તમે વિજય મેળવો તો તમારું સંકલ્પબળ પંદર