SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનને લાયક બની શકે છે. મનને શાંત રાખો. આનંદી રાખો તો જ તમે તેને એકાગ્ર કરી શકશો. એકાગ્રતાના અભ્યાસમાં નિયમિત બનો. સવારના ચાર વાગ્યે અચૂક એક જ સ્થળે ધ્યાનમાં બેસો. બ્રહ્મચર્ય, પ્રાણાયામ, જરૂરિયાતો પર સંયમ, પ્રવૃત્તિઓ પર મર્યાદા રાગદ્વેષનો અભાવ, શાંતિ, એકાંત, ઇંદ્રિયો પર વિજય, જપ, ક્રોધ તથા નવલકથા, છાપાં, સિનેમા વગેરેનો ત્યાગ-આ ગુણો મનની એકાગ્રતા કેળવવામાં મદદ કરે છે. શારીરિક શ્રમ, વાતચીત, આહાર દુનિયાદારી લોકોની સોબત, વિષયભોગ, પ્રવાસ-આ બધાં અતિ પ્રમાણમાં કરવામાં આવે તો એકાગ્રતામાં વિઘ્નરૂપ બને છે. ૩. વ્યવસ્થિત વિચાર દ્વારા વધતું સંકલ્પબળ અવ્યવસ્થિત વિચારોને અવકાશ આપો નહિ. ગમે તે એક વિષય લો ત્યારે તેના વિવિધ પાસાં અને મુખ્ય મુદ્દાનો વિચાર કરો. જ્યારે આમ એક વિષય પર વિચાર કરતા હો ત્યારે તે સિવાયના બીજા કોઈ વિષયને મનમાં પ્રવેશ કરવા ન દો. આ મન રખડવા માંડે કે તેને ફરીથી એકાગ્ર કરો. દાખલા તરીકે તમે જગદ્ગુરુ શ્રી આદિ શંકરાચાર્યના જીવન અને ઉપદેશ સંબંધી વિચાર કરવા માંડો તો પ્રથમ તેનું જન્મ સ્થળ, બાળજીવન, ચારિત્ર્ય, વ્યક્તિત્વ, સદ્ગુણો, ઉપદેશો, લખાણ, તત્ત્વજ્ઞાન, તેમના ગ્રંથો કે શ્લોકોમાંના અગત્યના ભાગો, પ્રસંગોપાત તેમણે બતાવેલી સિદ્ધિઓ, તેમનો દિગ્વિજય, તેમના ચાર શિષ્યો, તેમણે સ્થાપેલા ચાર મઠ, ગીતા, ઉપનિષદ કે બ્રહ્મસૂત્રો ઉપરનાં તેમનાં ભાષ્યો વગેરે પર વ્યવસ્થિત રીતે વિચાર કરો. એક પછી એક આ વિષયો ક્રમમાં લઈ તેના પર વિચાર કરો ને સંપૂર્ણ રીતે બધી બાબતોને આવરી લો. વારંવાર મનને આના પર કેન્દ્રિત કરો. ત્યારબાદ જ બીજો વિષય લો. આવી રીતે અભ્યાસ કરવાથી તમારા વિચારો વ્યવસ્થિત થશે. માનસિક છાપો આથી સચોટ, આબેહૂબ ને ન ભૂંસી શકાય તેવી પડશે. અને તેમનું બળ પણ ઘણું વધી જશે. સામાન્ય માણસોમાં માનસિક મૂર્તિઓ સ્પષ્ટ, સુરેખ ને વ્યવસ્થિત હોતી નથી.
SR No.005958
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swam
PublisherSwami Shivanand Gyanyagna Nidhi
Publication Year2012
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy