________________
યોગી કે જ્ઞાની થઈ શકો અને તમારું ભાગ્ય ફેરવી શકો. તમારી ઇચ્છાનુસાર તમારા કર્મમાં પણ ફેરફાર કરી શકો. તમારી સંકલ્પશક્તિને કેળવો. યોગ્ય દિશામાં સુંદર ને સારા જ વિચાર કરો. તમારે તો ફક્ત વિચાર કરવાનો છે ને તે પ્રમાણે વર્તવાનું છે. સારા વિચારથી, સારી ઇચ્છાથી, સારા કર્મથી તમે યોગી કે લક્ષાધિપતિ થઈ શકો. સારા વિચાર ને કર્મથી તમે ઇન્દ્ર કે બ્રહ્મા પણ થઈ શકો. મનુષ્ય નિરાધાર પ્રાણી નથી. તેનામાં સ્વતંત્ર ઇચ્છા રહેલી છે. ૫. વિચારોથી થતી શારીરિક અવ્યવસ્થા
વિચારોમાંનો પ્રત્યેક ફેરફાર તમારા મનમાં પણ તે અનુસાર ફેરફાર કરે છે અને તેની અસર મગજના મજ્જાતંતુ દ્વારા શરીર પર થાય છે. મજ્જાતંતમાં પ્રથમ તો વિચારની અસરથી ઘણા રાસાયણિક તેમજ વિદ્યુત ફેરફાર થાય છે. વિચારમાં આટલી શક્તિ રહેલી છે.
તીવ્ર રાગ કે દ્વેષ, કાયમની ઈર્ષા, કોરી ખાનાર ચિંતા, ગુસ્સાનો આવેશ, વગેરે શરીરના કોષોનો નાશ કરે છે, જેથી હૃદય, કાળજા, મૂત્રપિંડ, બરોળ ને હોજરીના રોગ થાય છે.
આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે મગજમાં ઉત્પન્ન થતા પ્રત્યેક વિચાર પ્રમાણે શરીરમાંનો દરેક કોષ કાં તો ઘટે છે કે વધે છે, મરે છે કે જીવે છે; કારણ કે જે જે વિચારોનું રટણ કરવામાં આવે તેની માનસિક આકૃતિ પ્રમાણે શારીરિક પ્રતિકૃતિ થાય છે.
જયારે કોઈ એક વિચાર પર મનને કેન્દ્રિત કરી તેનું જ ચિતન કરવામાં આવે ત્યારે એક જ પ્રકારની વસ્તુના આંદોલનનું મગજમાં અનેકવાર પુનરાવર્તન થઈ તેની ટેવ પડી જાય છે. આવી સ્વયંસંચાલિત ક્રિયા કરતાં કંઈ પ્રયાસ કરવો પડતો નથી. શરીર મનને અનુસરે છે અને તેમાંના ફેરફાર અનુરૂપ તેમાં પણ ફેરફાર થાય છે. જયારે આમ મનને એકાગ્ર કરવામાં આવે ત્યારે આખો પણ સ્થિર બને છે. ૬. સંકલ્પશક્તિ અનુકૂળ વાતાવરણ સર્જે છે
એવું ઘણીવાર કહેવામાં આવે છે કે મનુષ્ય પોતાના સંજોગો અનુસાર ઘડાય છે પણ આ સત્ય નથી. કારણ કે વસ્તુસ્થિતિ તદ્દન જુદી જ છે. દુનિયાના ઘણા મહાન પુરુષો ગરીબાઈ કે કફોડી સ્થિતિમાંથી મહાન થયા છે.