________________
મગજમાંથી બહાર નીકળી તમારા ધારેલા સ્થળે જશે, તે જ પ્રકારનો પ્રેમનો પ્રતિધ્વનિ સામાના મનમાં ઉત્પન્ન કરશે અને બમણા વેગથી પાછો તમારા તરફ વળશે.
આથી ઊલટું, જો તમે બીજા પ્રત્યે દ્વેષનો સંદેશો મોકલશો તો તે તેને દુઃખ આપશે. એટલું જ નહિ પણ ત્યાંથી બમણા વેગથી પાછો ફરી તમને વધારે દુઃખ આપશે.
માટે જ વિચારના કાનૂનો સમજી લઈ માત્ર દયા, પ્રેમ ને માયાળુતાના જ વિચારો, તમારા મનમાંથી બહાર જવા દો અને કાયમનું સુખ મેળવો.
જયારે બીજાને મદદ કરવા માટે કોઈપણ ઉપયોગી સારો વિચાર મનમાં પ્રેરો ત્યારે ધ્યાન રાખો કે તે વિચાર સ્પષ્ટ, સુરેખ અને અમુક નિશ્ચિત હેતુવાળો જોઈએ. તો જ તે ધારેલું પરિણામ લાવવા શક્તિમાન થશે ને તો જ તમે તેના દ્વારા નિશ્ચિત કાર્ય સિદ્ધ કરી શકશો. ૮. પ્રેરણાદાયક વિચારશક્તિ
તમે પ્રેરેલ સૂચનો અને મન ઉપરની તેની અસરનો સ્પષ્ટ ખ્યાલ પ્રથમથી જ તમારા મનમાં હોવો જોઈએ. સૂચનોનો પ્રયોગ કરતી વખતે તમારે ખાસ સાવચેતી રાખવી જોઈએ. કદાપિ ખોટાં સૂચનો કરો નહિ, કેમકે તે બીજાને - ઘાતક નીવડે. આથી બીજાનું કલ્યાણ કરવાને બદલે અહિત થવાનો સંભવ છે. માટે બોલતાં પહેલાં પણ પૂરેપૂરો વિચાર કરો.
શિક્ષકો ને પ્રોફેસરોને સૂચન અને પ્રતિસૂચનની ક્રિયાપ્રણાલીનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. આ જ્ઞાન હોય તો તેઓ શિષ્યોને સચોટ રીતે સુંદર તાલીમ આપી શકે અને તેમનાં માનસ ઉન્નત કરી શકે.
દક્ષિણ હિંદમાં જ્યારે ઘરમાં બાળક રડે ત્યારે તેને માબાપ કહે છે, બાબુ ! રડ મા. જો બે આંખવાળું ભૂત આવ્યું છે. ચૂપ રહે, નહિતર હું તને આ બાઘડાને સોંપી દઈશ.” કહીને બાળકોને બિવડાવે છે. પણ આ પ્રકારનાં સૂચનો ઘણાં વિઘાતક છે. આથી બાળક બીકણ બને છે.
બાળકોનાં મન સ્થિતિસ્થાપક ને કોમળ હોવાથી વાળીએ તેમ વળે તેવાં - હોય છે. આ વખતે તેના પર પડેલા સંસ્કાર એકદમ ભૂંસાઈ જતા નથી. આથી જયારે તેઓ મોટાં થાય ત્યારે તે સંસ્કાર બદલાતા કે ઘસાતા નથી અને તેથી જયારે મોટું થાય ત્યારે પણ તે બીકણ જ રહે છે.