________________
જીવનની સફળતા, તમારી સોબતથી બીજાને મળતો આનંદ – આ બધાનો આધાર તમારા વિચારો પર છે.
તમારે વિચારો કેળવવાની અને વિચારશક્તિ વધારવાની રીતો જાણી લેવી જોઈએ. ૬. વિચારમાં રહેલી શક્તિઓ - તેમનું મૂલ્ય
જો વિચારનાં આંદોલનની ક્રિયાશક્તિનું તમને સંપૂર્ણ જ્ઞાન હોય, જો વિચારોને કાબૂમાં રાખવાની પ્રક્રિયા તમે જાણતા હો, જો સ્પષ્ટ અને રેખાંકિત શક્તિશાળી લાભદાયક વિચાર આંદોલનોને દૂર પ્રેરવાની યુક્તિ તમે જાણતા હો તો તમે આ વિચારશક્તિને સહગ્ન ગણી વધારે અસરકારક રીતે વાપરી શકશો. વિચાર ખરેખર ચમત્કાર સર્જે છે.
અયોગ્ય ને અસત્ય વિચાર બંધનમાં નાખે છે, ત્યારે યોગ્ય ને સત્ય વિચાર મુક્ત કરે છે. માટે હંમેશાં સારા વિચાર જ કરો અને મુક્તિ મેળવો. મનની શક્તિઓને સમજી લઈ, કેળવી, તેમનો વિકાસ કરી તેની અંદર છુપાયેલી ગૂઢ શક્તિઓને બહાર લાવો. આખો બંધ કરી ધીમે ધીમે મનને એકાગ્ર કરો. આથી તમે દૂરનાં દશ્યો જોઈ શકશો, દૂરથી આવતા શબ્દો સાંભળી શકશો, માત્ર આ દુનિયા પર જ નહિ પણ બીજા ગ્રહ પર પણ તમે તે સ્થળે સંદેશો મોકલી શકશો, તમારાથી હજારો માઈલ દૂરના લોકોને સાજા કરી શકશો અને એક ક્ષણમાં દૂરને સ્થળે પહોંચી શકશો.
મનમાં રહેલી શક્તિ પર વિશ્વાસ રાખો. તેમાં દાખવેલો રસ, ધ્યાન, શ્રદ્ધા અને એકાગ્રતા જરૂર ઇચ્છિત ફળ લાવશે. યાદ રાખો કે, મન આત્મામાંથી તેની માયાશક્તિ દ્વારા ઉત્પન્ન થયું છે. છે. વિચારોથી થતા અભુત ચમત્કાર
જે જગ્યાએ તમે રહેતા હો તે જગ્યાએથી જ દુઃખથી ઘેરાયેલા તમારા મિત્રને દિલસોજીનો સંદેશો મોકલીને મદદ કરી શકો. જે સત્યનો તમે સાક્ષાત્કાર કર્યો હોય તેનો સ્પષ્ટ ને ચોક્કસ સંદેશો પ્રેરીને સત્યના જિજ્ઞાસુ એવા તમારા મિત્રને સંગીન મદદ આપી શકો.
અંતરિક્ષમાં તમે એવા મનોમય સંદેશા પ્રેરી શકો કે જે તેને ઝીલી શકે તેમના હૃદય પ્રેરણા ઝીલીને ઉન્નત ને શુદ્ધ બની જાય.
જો તમારો સંદેશો પ્રેમાળ ને બીજાને મદદગાર હોય તો તમારા