________________
મહાન ગુરુઓ અને મહાત્માઓ પોતાના સંદેશા દુનિયાને ખૂણેખાંચરે વસતા લાયક સાધકોને વિચાર દ્વારા જ મોકલે છે. જે વહેવારનાં સાધન આપણને અલૌકિક લાગે તે યોગીને માટે તદ્દન સ્વાભાવિક હોય છે.
૪. વિચાર દ્વારા બીજા પર અસર
વાણીનો ઉપયોગ કર્યા વિના તમે બીજા ઉપર અસર કરી શકો. તે માટે વિચારને એકાગ્ર કરી તેને ઇચ્છાશક્તિ દ્વારા નિશ્ચિત સ્થળે પ્રેરવાની જરૂર છે. આ શાસ્ત્ર ‘ટેલિપથી’ નામે ઓળખાય છે.
ટેલિપથીની સત્યતા નીચેના પ્રયોગથી સિદ્ધ કરી શકાય. દૂર દેશમાં રહેતા તમારા કોઈ મિત્ર કે ભાઈનો વિચાર કરો. ત્યાર બાદ તેના સ્પષ્ટ રેખાંકિત ચહેરાને તમારા મનમાં યાદ કરો. જો તમારી પાસે તેનો ફોટો હોય તો તેની તરફ દષ્ટિ કરી તેની સાથે વાતચીત કરો. જ્યારે રાત્રે પથારીમાં સૂઓ ત્યારે પણ મનને ખૂબ જ એકાગ્ર કરી તે ફોટાનું જ ચિંતન કરો. આનું પરિણામ એ આવશે કે તે તરત જ અથવા બીજા દિવસે તમારી ઇચ્છા પ્રમાણે તમને પત્રથી જવાબ આપશે. આનો તમે અખતરો કરી જુઓ. તેમાં જરા પણ શંકા કરો નહિ. તેની સફળતાથી તમને આશ્ચર્ય થશે.
તમારી સફળતાથી ટેલિપથીના વિજ્ઞાનમાં તમારી શ્રદ્ધા દઢ બનશે. કોઈ વાર જ્યારે તમે કંઈ લખતા હો અથવા છાપું વાંચતા હો ત્યારે એકાએક કોઈ પ્રિય મિત્ર કે સગાનો વિચાર આવે છે. આનું કારણ એ છે કે, તેણે તમને સંદેશો મોકલ્યો હોય છે અને તમારા સંબંધી એણે તીવ્ર વિચાર કર્યો હોય છે.
વિચારનાં આંદોલનો પ્રકાશ કે વીજળી કરતાં વધારે ઝડપથી ગતિ કરે છે. આંતરમન આ સંદેશા ને છાપને ગ્રહણ કરે છે અને જાગૃત મનને મોકલી દે છે.
૫. વિચારશક્તિના વિવિધ ઉપયોગ
વિચારશક્તિનું વિજ્ઞાન ઘણું જ રસપ્રદ અને સૂક્ષ્મ છે. આ બાહ્ય દેખાતી ભૌતિક સૃષ્ટિ કરતાં વિચારસૃષ્ટિ એ વધારે સૂક્ષ્મ, સત્ય ને શક્તિશાળી છે.
વિચારની શક્તિ ઘણી જ છે. તમારા દરેક વિચારમાં બધી રીતે તેનો પ્રમાણમાં નિશ્ચિત શક્તિ રહેલી હોય છે. તમારું શરીરબળ, મનોબળ,
૨૯